SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આનાથી વિભિન્ન પરિણમન ધ્વનિ, પ્રકાશ, ગતિ, ચુંબકત્વ, ઉષ્મા આદિના રૂપમાં થવાનું તાત્પર્ય એ છે કે આ બધા ભૌતિક ઊર્જાના રૂપમાં ઇલેક્ટ્રિસિટીના રૂપાંતરણ સ્વરૂપ ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટીનું રૂપાંતરણ કંબશન દ્વારા અગ્નિનું રૂપ ધારણ નથી કરતું, ત્યાં સુધી એ પૌદ્ગલિક જ છે. પદાર્થમાં વિદ્યમાન સ્થિત વિદ્યુત () ધાતુના તારમાં પસાર થનારા પ્રવાહ રૂપ વિદ્યુત તથા ઑક્સિજન અને જ્વલનશીલ પદાર્થના અભાવમાં થનારી “ડિસ્ચાર્જ રૂપ વિદ્યુત આદિ પોતે સ્વયં તો નિર્જીવ જ છે. પ્રશ્ન ૨૧ઃ “જો કે ઘનિર્યુક્તિ વગેરેમાં અચિત્ત તેઉકાયના નામો મળે છે. પરંતુ તે અચિત્ત તેઉકાયના નામોમાં ક્યાંય પણ વીજળીનું નામ તો જોવા જ નથી મળતું. ઊલટું, વીજળીનો નિશ્ચયથી સચિત્ત તરીકે ઉલ્લેખ ઓઘ ઓઘનિર્યુક્તિમાં “વિજ્ઞયા નિષ્ઠફડો’ (ગાથા-૩૫૮) આવા શબ્દો દ્વારા તથા પિંડિનર્યુક્તિમાં “વિષ્ણુયા; નિજી' (ગાથા-૩૬) આવા શબ્દો દ્વારા મળે છે. ઓઘનિર્યુક્તિવ્યાખ્યામાં બહુશ્રુતસભા શૃંગાર દ્રોણાચાર્યજી લખે છે કે વિઘુવિરોનૈરચિવો મતિ' (ગા. ૩૫૯ વૃત્તિ) તથા પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં સમર્થ ટીકાકારશ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે “વિવુકુ-પ્રમુ: તેનારાયો નિશ્વયતઃ વત:' (ગા. ૪૨ વૃત્તિ).” હજુ વધુ મહત્ત્વની એક વાત એ છે કે અત્યંત લાલચોળ તપેલા મહાકાય લોખંડના ગોળાની એકદમ અંદરના ભાગમાં શુદ્ધ અગ્નિકાયના જીવો તથા ઇંટની ભઠ્ઠીના નીચલા મધ્ય ભાગમાં નિશ્ચયથી બાદર તેઉકાયના જીવો હોય છે – તેવી વાત આગમજ્ઞો માટે પ્રસિદ્ધ છે. શ્રી જ્ઞાતાધર્મકથાવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે “શુદ્ધન. ૩રપષ્કાન્તત: નઃ' (૧/૧૬/૧૬૩) આવું જણાવેલ છે. તથા જીવાભિગમસૂત્રવ્યાખ્યામાં અને પન્નવણાવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ શુન: ઝા:વિષ્કા' (જીવ.૧/૩૩-પન્ન. પદ-૧૩૧ વૃત્તિઅર્થાત્ “લાલચોળ તપેલા લોખંડના ગોળા વગેરેમાં શુદ્ધ અગ્નિકાય જીવો હોય છે. મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “મરિયgધનુવિદ્ધો વાનરહિત: મનિઃ' (ગાથા-૩૨) એમ કહીને તપેલા લોખંડના ગોળામાં અગ્નિકાય જીવ હોવાનો મત જણાવેલ છે. દશવૈકાલિકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ન ૩:વિષ્યનુતમ્ (દ.વૈ.૮/૧૮ વૃત્તિ) એમ કહીને અત્યંત તપીને લાલચોળ બનેલા લોખંડના ગોળામાં બાદર અગ્નિકાયના જીવો હોય છે – આમ સૂચવેલ છે. માટે જ ત્યાં તેવા તપેલા લોખંડના 197 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy