SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન આદિની બધી વાતો આવવી જોઈતી હતી. સર્વજ્ઞ હોવાથી એમનાથી વર્તમાનની કોઈ જ ઘટનાઓ છુપી નથી. તો પછી બધાંનું વર્ણન કેમ મળતું નથી? પ્રશ્ન ૨૦: “ઇલેક્ટ્રિસિટી જીવ નથી – એવું સિદ્ધ કરતો આગમપાઠ કયો છે ?” ઉત્તર ૨૦ઃ જો કોઈ આગમમાં જ્યારે આ પાઠ ન હોય કે “ઇલેક્ટ્રિસિટી” સચિત્ત તેઉકાય છે, ત્યારે આ અપેક્ષા કરવી કે એને નિર્જીવ સિદ્ધ કરતો આગમ પાઠ કયો છે એ કેવી રીતે સંભવ છે? એ જ પ્રમાણે “જો ઈલેક્ટ્રિસિટી નિર્જીવ હોય તો સર્વજ્ઞ દ્વારા જરૂર આ વાત આગમમાં પ્રતિપાદિત થઈ હોત (જુઓ પ્રશ્ન)” - આ તર્કના પ્રતિપક્ષમાં શું એમ ન કહેવાય કે “જો ઇલેક્ટ્રિસિટી સજીવ હોય, તો આગમમાં આ તથ્ય જરૂર પ્રતિપાદિત થયું હોત?” આ પ્રકારના વ્યર્થ તર્કવિતર્કથી શું આપણે કોઈ ઉકેલ પર પહોંચી શકીશું ? આપણે જો ચિંતન કરવાનું છે તે એ હોવું જોઈએ કે આગમમાં એવું કર્યું તથ્ય ઉપલબ્ધ છે. જેના આધાર પર બહુ સ્પષ્ટ અનુમાન કરી શકાય કે ઇલેક્ટ્રિસિટી સજીવ છે કે નિર્જીવ. અમે પ્રારંભેજ ઇલેક્ટ્રિસિટી અને સ્નિગ્ધત્વ-રુવ નામના પુદ્ગલગુણોનું વિસ્તારથી જે વિવેચન કર્યું હતું, એ આગમ આધારિત જ છે. (જુઓ પ્રથમ ભાગ - પ્રથમ પ્રભાગ). આ વિવેચનના પરિપ્રેક્ષ્યમાં - સ્નિગ્ધ-રૂક્ષ-સ્પર્શ અને ઇલેક્ટ્રિસિટીની સમાનતાથી એ સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રિસિટી મૂળ પુદ્ગલનો જ મૌલિક ગુણ છે. જૈન આગમોમાં સ્નિગ્ધ-રૂક્ષ-સ્પર્શના આધાર પર જ પરમાણુથી સ્કન્ધ * બનવાની પ્રક્રિયા બતાવી છે. આ વાત બહુ જ મહત્ત્વપૂર્ણ છે કે જૈન દર્શન અને વિજ્ઞાન બન્નેએ બધા પદાર્થોની રચનામાં સ્નિગ્ધ-ક્ષ-સ્પર્શ અથવા ઋણ (Negative) અને ઘન (Positive) ઇલેક્ટ્રિક ચાર્જને જ આધારભૂત માન્યા છે. આનાથી વધારે બીજું કયું આગમ પ્રમાણ ઈલેક્ટ્રિસિટીને નિર્જીવ માનવા માટે હોઈ શકે? જૈન દર્શને શરીરમાં દસ પ્રાણના રૂપમાં જૈનવ વિદ્યુતની ઊર્જાનો સ્વીકાર કર્યો છે. હવે વૈજ્ઞાનિકોએ પણ જૈવ વિદ્યુતને બધી શારીરિક ક્રિયાનો આધાર બનાવીને સ્પષ્ટ રૂપથી નિરૂપણ કર્યું છે કે આ પૌદ્ગલિક શક્તિ કેવી રીતે જીવ દ્વારા પ્રયુક્ત થાય છે અને બધા પ્રાણી આ પ્રાણ એટલે કે જૈવ વિદ્યુતની ઊર્જાથી જીવીત છે. આ આધારો પર કોઈપણ ઠેકાણે કોઈ શંકા રહેતી નથી કે મૂળ પોતે પોતાનામાં ઇલેક્ટ્રિસિટી ભૌતિક અથવા પૌદ્ગલિક પરિણમન છે, ઊર્જા 196 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy