SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ એને પણ મિશ્ર પરિણમન માનવું જોઈએ. પણ વાદળને તો વૈઋસિક પરિણમનમાં માનવામાં આવ્યું છે. તો પછી બીજા પૌગલિક પરિણમનોને સ્વભાવિક માનવામાં શો વાંધો છે? ષખંડાગમમાં સાદિ વૈશ્નસિક સ્વાભાવિક) બંધની ચર્ચામાં એને વૈઋસિક જ માનવામાં આવ્યું છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યાં છીએ. (જુઓ પ્રથમ ભાગ, પ્રથમ પ્રભાગ) એટલે જીવ દ્વારા પરિણત થયા પછી જ પુદ્ગલ પ્રકાશ આદિ કરે છે, આ નિયમ બતાવવો ઉચિત નથી. પ્રશ્નમાં ટાંકવામાં આવેલા ભગવતી ૧/૧૦/૩૮૦ના પાઠમાં સ્પષ્ટ છે કે અજીવ પુદ્ગોમાં સ્વયં આ શક્તિ છે. “તેજસ વર્ગણાને તેજસ શરીર સુધી સીમિત કરવું સંગત નથી. જીવ તેજસ વર્ગણાના બધાં પુગલોનું જીવ દ્વારા સદા સર્વદા પ્રહણ અને પરિણમન આવશ્યક નથી.” અહીં એમ કહેવું કે “વીજળી વગેરેનો કોઈ બીજા પદાર્થના નિર્જીવના રૂપમાં ઉલ્લેખ નથી.” એ તર્ક-સંગત નથી. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ લખ્યું છે – “તર્કની પોતાની મર્યાદા હોય છે. આ વિષયમાં હરિભદ્ર સૂરિના પદર્શનની વૃત્તિમાં આ શ્લોક બહુ મહત્ત્વપૂર્ણ છે' आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिः, यत्र तत्र मतिरेति निवेषम् ॥ અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે. એમાં વિદ્યુતનો ઉલ્લેખ નથી, એ પ્રશ્ન અહીં પ્રાસંગિક નથી. પ્રાસંગિક એટલું જ છે કે અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે. એ જીવ દ્વારા ગૃહિત થઈ ચૂક્યા છે. એટલે પ્રકાશ કરે છે – આ તર્ક પણ સંગત નથી. પ્રકાશ, આતપ, ઉદ્યોત, છાયા - આ બધા પુદ્ગલનાં લક્ષણો છે. શદ્ર-વંધ-સૌમ્પ-સ્થીત્વ-સંસ્થાન-મે-તમરછાયેતિપોદ્યોતવન્તર | (તત્ત્વાર્થવર્તિ ૬/૨૪) सइंधयारउज्जोओ पहा छाया तवे इ वा । વારસાંથwાસ પુના તુ નવ્ર છે (ઉત્તરદૃાયન ર૮/૧૨). અંધકાર પુદ્ગલનું લક્ષણ છે. એ જીવ દ્વારા ગ્રહણ કરીને અંધકાર નથી બનતો. પ્રકાશ પણ પુદ્ગલનું લક્ષણ છે અને એટલે એ જીવ દ્વારા ગ્રહણ કરીને પ્રકાશ બને છે, એ કોઈ નિયમ નથી. પુદ્ગલોનું પરિણમન જીવના પ્રયોગથી પણ થાય છે અને પોતાની મેળે (સ્વભાત) પણ થાય છે. જો ઉપરનો તર્ક માનવામાં આવે, તો પછી આગમોમાં વર્તમાન યુગના 195 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy