SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપગ્રહ એટલે આહાર, પાણી, મન, ઉચ્છવાસિનઃશ્વાસ આદિ ઉપકારક શક્તિઓ”૪૫ પરમ્પર અથવા અનન્તર રૂપમાં સૃષ્ટિની બધી ક્રિયાઓમાં જીવ અને પુદ્ગલનો સંયોગ નિમિત્ત બને છે એમાં તો કોઈપણ પદાર્થ નિર્જીવ માની શકાય. મનુષ્યદ્વારા છોડવામાં આવેલાં તેજોવેશ્યાના પુદ્ગલની ઉષ્મા અને એના પ્રકાશ માટે મનુષ્યના આતાપનામકર્મ અથવા ઉષ્ણનામકર્મ ક્યાં સુધી જવાબદાર થઈ શકે ? જીવના જે નામકર્મ ઉદયમાં આવે છે, એ તો એના શરીરની સાથે જોડાય છે. તેજોલેશ્યાના પુદ્ગલના પ્રકાશ અને ઉષ્ણતા એને છોડનાર મનુષ્યના નામકર્મની સાથે કેવી રીતે જોડી શકાય? જો જોડી શકાય એમ માનવામાં આવે તો પછી ઇલેક્ટ્રિસિટીની પ્રક્રિયામાં પ્રયોગ કરાયેલા પુદ્ગલ પણ પરસ્પર રૂપમાં સુચાલક પદાર્થ (ધાતુ) એટલે પૃથ્વીકાયિક જીવ દ્વારા મુક્ત (છોડવામાં આવેલા) પુદ્ગલ માનવા જોઈએ. વિદ્યુતનું ઉત્પાદન મનુષ્ય દ્વારા બનાવાયેલા યંત્રોથી છે, એટલે શું મનુષ્યના નામકર્મ એને માટે જવાબદાર માની શકાય? જ્યારે જૈન દર્શન સ્વાભાવિક પરિણમન દ્વારા અચિત્ત (નિર્જીવ) પુદ્ગલોના પરિણમનને સ્વીકૃતિ આપે છે, તો પછી એને માટે ફક્ત જીવને જ સર્વત્ર જવાબદાર માનવું ક્યાં સુધી સંગત છે? જ્યાં-જ્યાં જીવનું શરીર પોતે આતપ, ઉદ્યોત, વગેરેના રૂપમાં છે, ત્યાં ત્યાં એ નામકર્મનો ઉદય છે, એવો અભિપ્રાય જે અલગ અલગ અવતરણોમાં ટાંકવામાં આવ્યા છે તે અવતરણો સમ્યક્ પ્રકારે સમજવાં જોઈએ. પણ જ્યાં જ્યાં પુદ્ગલ એવા રૂપમાં છે, ત્યાં એને પૌદ્ગલિક પરિણમન જ સ્વીકારવું જોઈએ. જૈન દર્શન અનુસાર બતાવવામાં આવતાં ત્રણ પ્રકારના પરિણમનોમાં માત્ર પ્રાયોગિક અને મિશ્ર પરિણમનોમાં જ અનન્તર રૂપમાં જીવનું કર્તૃત્વ હોય છે. વૈગ્નસિક પરિણમનમાં અનન્તર રૂપમાં માત્ર પૌગલિક પરિણમન જ કારણભૂત હોય છે. ઉપર ટાંકવામાં આવેલાં ટિપ્પણ સંખ્યામાં સૂત્રકૃતાંગ ચૂર્ણિ (પાનુ ૧૨૮, ૧૨૯)ના જે પાઠ આપ્યા છે, એમાં નરકની અગ્નિને સ્વભાવથી ગરમ અને અચેતન બતાવ્યા છે. એને અનન્તર રૂપમાં જીવ કત ન માની શકાય. પ્રશ્નમાં પરમ્પર અને અનન્તરના ભેદને સમજવાની કોશિશ નથી કરી, એટલે બધે જીવની સાથે સીધા જ પૌદ્ગલિક પરિણમનોને જોડી દેવામાં આવ્યા છે. પછી તો વાદળ, જે અપ્રકાયિક જીવનું પરિણમન છે, અને જે આકાશીય વિજળીનું ઉત્પાદક છે, 194 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy