SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનો સહયોગ મળવાની સંભાવના નથી જ ને! સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાયના જીવની જેમ આતપ-નામ કર્મનો ઉદય કે રત્ન, મણિ, ચંદ્રના વિમાન અને આગિયાવગેરેની જેમ ઉદ્યોત-નામ કર્મનો ઉદય કાંઈ બલ્બમાં હોતો નથી. તેથી સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ વગેરેની જેમ બલ્બના પ્રકાશને અચિત્ત માની ન શકાય. આતપનામ કર્મ, ઉદ્યોતનામ કર્મ, તેજલેશ્યા કે ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદય વિના અન્ય કોઈ પ્રકારે તો ગરમી-પ્રકાશ વગેરેની ઉત્પત્તિ શક્ય જ નથી. બલ્બમાં કાંઈ ફક્ત વિસ્રસાપરિણામજન્ય ગરમી-પ્રકાશ વગેરે તો માની ન જ શકાય. (પ્રસ્તુતમાં આગમવિદ્ પ્રાજ્ઞ પુરુષોએ ખાસ એક વાતની નોંધ લેવા જેવી છે કે આકાશમાં થતી વીજળી પણ માત્ર વિસ્ત્રસાપરિણામજન્ય નથી. કારણ કે તે પન્નવણા, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગમ મુજબ તેઉકાય જીવસ્વરૂપ હોવાથી વીજળીની ઉત્પત્તિમાં જીવનો પ્રયત્ન પણ ભળેલો છે જ. ભગવતીસૂત્ર આઠમા શતકના પ્રથમ ઉદેશોમાં મિશ્રપરિણામયુક્ત વૈઐસિક+પ્રાયોગિક) જે દ્રવ્ય બતાવેલ છે તેમાં જ આકાશીય વિજળી વગેરેનો સમાવેશ કરવો વાજબી જણાય છે.) બાકી તો તે માણસના પ્રયત્ન વિના પરમાણુગતિની જેમ ગમે ત્યારે અથવા વાદળની જેમ ચોક્કસ સમયે બલ્બમાં આપમેળે તે ઉત્પન્ન થાય અને રવાના થાય - તેવું માનવું પડે. પરંતુ હકીકત તેવી નથી. માટે પારિશેષન્યાયથી ઉષ્ણસ્પર્શ નામકર્મના ઉદયવાળા બાદર અગ્નિકાયના જીવોનું જ ત્યાં અસ્તિત્વ માનવું રહ્યું. કારણ કે “સ્પશવિનામવાન્ રીતે આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિ (ભાગ-૩/ગા.૨૧૪૬ વૃત્તિ)ના વચન મુજબ ઉષ્ણસ્પર્શાદિ નામ કર્મના ઉદયથી અગ્નિ પ્રકાશે છે - આ વાત શાસ્ત્રસિદ્ધ છે. ૪૩ ઉત્તર ૧૯ઃ આપણે આ લેખના પ્રથમ ભાગના બીજા પ્રભાગમાં “જીવ અને પુદ્ગલના સંબંધી અન્તર્ગત આ વિષયની વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વાદળ, વીજળી આદિ બધા સાદિ વૈઋસિક બંધ-પરિણામ છે. આ સંદર્ભમાં આ પ્રશ્નનો આ પ્રકારે ઉત્તર સમજવો જોઈએ – સૌથી પહેલાં તો એ સમજવવાનું છે કે આખી સૃષ્ટિ જ મૂળ તો જીવ અને પુદ્ગલના વિવિધ સંયોગોથી જ ચાલે છે. જૈન દર્શન અનુસાર - “જીવ અને પુગલોના વિવિધ સંયોગોથી આ લોક વિવિધ પ્રકારનો છે. લોકની આ વિવિધરૂપતાને જ સૃષ્ટિ કહેવાય છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અપશ્ચાનુપૂર્વિક પૌવપર્યશૂન્ય) છે. સંયોગ ત્રણ પ્રકારના છે – ૧) કર્મ, ૨) શરીર, ૩) ઉપગ્રહ. 193 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy