SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નરકમાં અગ્નિકાય નથી' – એવી તેઓશ્રીની વાત સાચી છે. પણ દ્રવ્ય લોકપ્રકાશના પાંચમા સર્ગમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પૃથિવ્યવપુતાનાં રિણામ: સ તાશા' (લો...સર્ગ-૫/ગાથા. ૧૮૨) અર્થાત્ નરકમાં અનુભવાતી ઉષ્ણતા પૃથ્વીકાય વગેરે જીવોનું પરિણામ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ કહેલ છે 3 'इह तेजस्कायिकस्येव परमाधार्मिकनिर्मितज्वलनसदृशवस्तूनां स्पर्श: तेजस्कायिकर्पश अथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवीकायिकादिस्पर्शापेक्षया વ્યાધ્યેિય' (ભ.શ. ૧૩/ઉદેશો-૪ વૃત્તિ પૃષ્ઠ-૬૦૭) મતલબ કે પરમાધામી દ્વારા વિકર્વિત અગ્નિતુલ્ય વસ્તુનો સ્પર્શ જાણે કે અગ્નિકાયનો જ સ્પર્શ હોય તેમ નારકીને લાગે છે. અથવા કોઈ અન્ય ભવમાં અનુભવેલા અગ્નિકાયના પર્યાયવાળા પૃથ્વીકાય વગેરેના જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજના ઉપરોક્ત શબ્દ દ્વારા ફલિત થાય છે કે નરકમાં નારકી જીવોને જે ગરમીનો અનુભવ થાય છે તેમાં પરમાધામી દેવાનો પ્રયત્ન કામ કરે છે અથવા પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ સ્પર્શ છે. અહીં મહત્ત્વની નોંધપાત્ર વિગત છે એ છે કે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શિવપુલ નિતિસ્પશક્ષિા ...' આમ કહેવાને બદલે “પૃથિવીવવિવિપક્ષા ..” આમ કહેલ છે. મતલબ કે અચિત્ત પૃથ્વીના પુદ્ગલોનો ગરમ સ્પર્શ નહિ પણ સચિત પૃથ્વીકાય વગેરે જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે. આમ “નરકમાં અનુભવાતા ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ જ છે અને જીવના પ્રયોગથી જ તે ઉષ્ણ સ્પર્શ ઉત્પન્ન થાય છે.' – આવું સિદ્ધ થાય છે. તે ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ હોય તો જ “મવાન્તરનુભૂતતેનાથપર્યા' આવું વિશેષણ પૃથ્વીકાયને લગાડી શકાય. નરકની ગરમીનું વર્ણન કરવાના પ્રસંગે વાદીવેતાલ શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનબૃહધવૃત્તિમાં “મનો ફેવમાયાવૃત્ત' (૧૫/૪૯) આવું કહેવા દ્વારા “નરકમાં જે ઉષ્ણસ્પર્શ અનુભવાય છે તે દેવાયાકૃત હોય છે' - તેવું જણાવીને ત્યાં કૃત્રિમ ઉષ્ણ સ્પર્શ પરમાધામી દેવના પ્રયત્નને આભારી છે – આવું સૂચિત કરેલ છે. તથા ત્યાં જ આગળ ઉપર તેઓશ્રીએ “તત્રો: નુમાવ' (૧૯૫૦) આવું કહીને નરકમાં જે સ્વાભાવિક ગરમી હોય છે તે પૃથ્વીકાય જીવોનો ઉષ્ણસ્પર્શ છે - એવું જણાવેલ છે. 191 For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy