SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિીપની અપેક્ષાએ આ વાત સુનિશ્ચિત સમજવી. તેથી શાસ્ત્ર મુજબ ગરમી કે પ્રકાશ વગેરે અગ્નિકાય જીવનું એકાદ લક્ષણ જ્યાં જોવા મળશું હોય છતાં જેનું (દા.ત. શરીરની ગરમી, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી, સૂર્યપ્રકાશ, કળી ચૂનો, નરકનો અગ્નિ, ચંદ્રપ્રકાશ, મણિપ્રકાશ વગેરે) નામ લઈને શાસ્ત્ર તેને તેઉકાય જીવથી ભિન્નરૂપે અથવા અચિત્ત તરીકે જાહેર કરતું હોય તે પદાર્થો સચિત્ત તેઉકાયસ્વરૂપ ન હોય તે વાત બરાબર છે. પરંતુ તે સિવાયના જે જે પદાર્થોમાં ગરમી, પ્રકાશ આદિ તેઉકાય જીવના લક્ષણ જોવા મળે તેને તો સચિત્ત માનવામાં, સજીવ માનવામાં જ ડહાપણ છે. બાકી તો લક્ષણ દ્વારા લક્ષ્યભૂત પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવાની શાસ્ત્રોક્ત વ્યવસ્થા જ ભાંગી પડે. તેથી કેવળ વિજ્ઞાનને જ આગળ કરીને ઇલેક્ટ્રિસિટી વગેરેને અચિત્તરૂપે, નિર્જીવસ્વરૂપે જાહેર કરવાનું દુઃસાહસ છદ્મસ્થ જીવે ન કરવું જોઈએ. કારણ કે વિજ્ઞાન તો જગતના તમામ પદાર્થોને ઇલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન સ્વરૂપે જ જુએ છે. તો પછી જૈન એવા આપણે શું પૃથ્વી કે પાણીને પણજીવ તરીકે નહિ માનીએ ? સાયન્સના દરેક ટુડન્ટ જાણે છે કે H,0 = water. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ તો બીજમાંથી અંકુરો ફૂટવો, વનસ્પતિનું ઉગવું વગેરે પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. અરે ! પન્નવણા વગેરે આગમોમાં તેઉકાય જીવ તરીકે દર્શાવેલી આકાશીય વીજળી પણ, મોર્ડન સાયન્સના પ્રિન્સિપલ મુજબ, દરેક જાતનું ઊર્જાનું સ્પંદન જે છે ને! આ રીતે જ જો સર્વત્ર વિચાર કરવામાં આવે તો જીવનું અસ્તિત્વ આપણે ક્યાં માનશું? વિજ્ઞાનના પદાર્થથી કે સાયન્સના વર્તમાન પ્રિન્સિપલથી તો પાણી, અગ્નિ વગેરેમાં જીવત્વની સિદ્ધિ કદાપિ શક્ય જ નથી. માટે વિજ્ઞાનના સ્નાતકની અદાથી અલેક્ટ્રોન-ઊર્જા-સ્પંદન વગેરે શબ્દો વાપરવાના બદલે ત્યાં આપણી પ્રાચીન-આગમિક પરિભાષા મુજબ “અગ્નિકાય' વગેરે શબ્દનો પ્રયોગ કરવો એ જ વધુ હિતાવહ છે.”૩૯ ઉત્તર ૧૮ઃ જૈન દર્શને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવત્વનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ જ જીવો શસ્ત્ર-પરિણત થવાથી નિર્જીવ થઈ જાય છે, H,0 (પાણી) શસ્ત્રપરિણત ન હોય ત્યાં સુધી સજીવ છે, શસ્ત્રપરિણત થાય પછી નિર્જીવ છે. પાણીના H10 રૂપમાં સજીવ અથવા નિર્જીવ અવસ્થામાં અંતર નથી આવતું, એટલે જીવત્વના લક્ષણોના આધાર પર એ જ પદાર્થ સજીવ અથવા નિર્જીવ થઈ જાય છે. “ચેતના” લક્ષણથી સજીવ અને ચેતનાશૂન્ય એજ પદાર્થ નિર્જીવ બની જાય છે. પ્રકાશ, ઉષ્મા, દાહકતા, 187 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy