SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પદાર્થોને પોતાની યોનિસ્વરૂપે બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે. માટે ફિલામેન્ટ વગેરેમાં તેઉકાય જીવોની ઉત્પત્તિ માની શકાય છે. ખરેખર, સૂયગડાંગસૂત્રની ઉપરોક્ત વાત શ્રી મહાવીરસ્વામી ભગવાનની સર્વજ્ઞતા સિદ્ધ કરવા માટે એક મહત્ત્વનું પાસુ ગણી શકાય તેમ છે.” ઉત્તર ૧૬ઃ સૂત્રકૃતાંગના ઉદાહરણથી તેઉકાયિક જીવની ઉત્પત્તિના વિષયમાં ફક્ત એટલો જ સાર નીકળે છે કે “આ જીવ ત્રસ, સ્થાવર, જીવોના શરીરમાં, સચિત્ત અથવા અચિતમાં અગ્નિકાયિક જીવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે.” એનાથી એ તાત્પર્ય ક્યારે પણ નથી નિકળતું કે આ જીવ ઑક્સિજન ન મળે તો પણ ફિલામેન્ટમાં ઉત્પન્ન થઈ શકે છે. મૂળ વાત તો એ છે કે અગ્નિકાયિક જીવોની યોનિ માટે જે સામગ્રી અપેક્ષિત છે, એની પૂર્તિ પહેલાં થવી જોઈએ. આ સામગ્રી વગર ગેસ, લાકડું આદિ જ્વલનશીલ પદાર્થોમાં પણ અગ્નિકાયિક જીવની યોનિ નથી બની શકતી કે નથી અગ્નિકાયિક જીવની ઉત્પત્તિ થઈ શકતી. તાત્પર્ય એ થયું કે ગેસ, લાકડું, રૂ, આદિને તેઉકાયના જીવ પોતાના શરીરના રૂપમાં ત્યારે પરિવર્તિત કરી શકે છે, જ્યારે તેઉકાયની ઉત્પત્તિ માટે આવશ્યક બધી શરતો પૂરી થાય. જ્યાં સુધી આ શરતો પૂરી થતી નથી ત્યાં સુધી આપણે ગેસ, લાકડું, રૂ વગેરેને તેઉકાય માની શકીએ નહિ. એટલે જ્વલનશીલ પદાર્થમાં બળવાની ક્ષમતા છે. પણ જ્યાં સુધી કંબશ્ચન (દહન)ની ક્રિયા પૂરી નથી થતી ત્યાં સુધી એ નિર્જીવ પદાર્થ છે. પરંતુ આ વાત જ્વલનશીલ પદાર્થ કંબશ્ચન માટે અયોગ્ય છે, જે જ્વલનશીલ પદાર્થ છે, તેને પણ જ્યાં સુધી ‘ignition point' પ્રાપ્ત નથી થતું. ત્યાં સુધી દહન-ક્રિયા નહીં કરી શકે.૩૫ પણ જો પુરતું ઑક્સિજન ન મળે તો એ અજ્વલનશીલ બની જાય છે. - પ્રશ્ન ૧૭ઃ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણીવરશ્રી તો સ્પષ્ટપણે કહે છે કે “તેજ:પ્રકાશયોરેકત્વાભુપગમાત્ ' (૫/૨૪) અર્થાત્ તેઉકાય (-દીવાની જ્યોત વગેરે) અને તેનો પ્રકાશ (- રોશની - કૃત્રિમ પ્રકાશ) બંને એક જ ચીજ છે – એવું શાસ્ત્રમાન્ય છે. માટે “બલ્બમાં તો માત્ર પ્રકાશપુંજ જ છે. બલ્બની બહાર પણ માત્ર અચિત્ત પ્રકાશપુંજ જ ફેલાય છે. એવું માની શકાતું નથી. આમ શાસ્ત્રાનુસાર, તર્કનુસાર, અનુભવાનુસાર તથા વિજ્ઞાન મુજબ વિચારીને પરસ્પર સમન્વય કરવામાં આવે તો બલ્બમાં થતો વિદ્યુતપ્રકાશ પણ વીજળીની જેમ સચિત્ત અગ્નિકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે 105 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy