SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તેઉકાય બની જશે? બલ્બ પર રાખેલું કપડું જો બલ્બની ઉષ્માથી તથા હવાના ઑક્સિજનથી બને છે, તો એનાથી બલ્બનો પ્રકાશ કેવી રીતે તેઉકાયિક થઈ ગયો? એટલે એ તો સ્પષ્ટ છે કે વિદ્યુત-ઊર્જાનું પ્રકાશઊર્જામાં પરિવર્તન ફક્ત પૌગલિક પરિવર્તન છે. જો ઑક્સિજન આદિ પ્રાપ્ત ન થાય તો એને સૂર્ય, ચંદ્ર અથવા બીજા કોઈ પણ પદાર્થ જેવું પૌદ્ગલિક માનવું જોઈએ. તારમાં ઇલેક્ટ્રોનના ઘર્ષણની વાત પણ વિજ્ઞાન દ્વારા સમ્મત નથી. વસ્તુના ધાતુ સુચાલક હોવાથી ઈલેક્ટ્રોનનો પ્રવાહ તારમાં જાય છે. એમાં ક્યાંય પણ ઘર્ષણની ક્રિયા નથી. ધાતુની અવરોધકની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. અગ્નિ અને પ્રકાશમાં પ્રકાશનો ગુણ સમાન છે, પણ બાકીની બધી પ્રક્રિયા જુદી છે. એટલે પ્રકાશ અને અગ્નિ એક નથી. પ્રકાશને જૈન દર્શનમાં ફક્ત પુદ્ગલનો પર્યાય માન્યો છે. વિજ્ઞાને પ્રકાશને “વિદ્યુત-ચુમ્બકીય તરંગ” માન્યો છે. વિજ્ઞાન અને આગમ બંને આધારો પર પ્રકાશ પૌદ્ગલિક જ છે. પ્રકાશમાં દાહકતાનો ગુણ હોય તો આપણે બધા પ્રકાશ માત્રથી બળી જાત. પણ એમ માનવું એ જરા પણ સાચું નથી. કપડું જ્વલનશીલ છે. જો એ જરૂરી પ્રમાણમાં ગરમ થઈ જાય એન એને ઑક્સિજનનો સહયોગ મળી જાય તો એ બળી શકે છે, નહિ તો ફક્ત ગરમ જ થાય છે, બળતું નથી. પ્રશ્ન ૧૬: બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં તેઉકાયના જીવોની ઉત્પત્તિ માનવામાં કોઈ શાસ્ત્રીય બાધ પણ આવતો નથી. કારણ કે ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવના સચિત્ત કે અચિત્ત શરીરમાં તથાવિધ કર્મવશ તેઉકાયના જીવો ઉત્પન્ન થઈ શકે છે – એવું સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો – ‘દતિયા सत्ता नानाविहजोणिया जाव कम्मनियाणेणं तत्थ वुक्कमा नानाविहाणं तस थावराणं પVIIM સરીસુ સાસુ વાવતેસુ વા વાયા વિઠ્ઠતિ સૂયશ્રુતસ્કંધર/અધ્યયન ૩/સૂત્ર-૧૭) મતલબ કે પૃથ્વી, પાણી વગેરે જીવો ચોક્કસ પ્રકારના પુદ્ગલને જ શરીર રૂપે સ્વીકારે છે. પરંતુ તેવો નિયમ અગ્નિકાયના જીવો માટે આગમમાન્ય નથી. ગેસ, લાકડા, રૂ, કાગળ, પ્લાસ્ટિક, પેટ્રોલ, ઓઇલ, ઘી, તેલ, માટી, પત્થર, ઇંટ, કેરોસીન, કાપડ, રબર, કોલસા, ઘાસ, રસાયણો, મડદા, લોખંડ પ્રકાશસ્વરૂપ ફોટોન વગેરેને પોતાના શરીરરૂપે સ્વીકારીને તેમાં તેઉકાય જીવો ઉત્પન્ન થતા દેખાય જ છે. અગ્નિકાયના જીવો ગેસ-લાકડા વગેરે 184 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy