SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે એકદમ પાતળા ટંગસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે જગ્યા અતિ ઓછી હોવાથી તેમજ ઇલેક્ટ્રોનોનો જથ્થો પુષ્કળ માત્રામાં હોવાથી તથા તેનો વેગ અતિ ઝડપી હોવાથી બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં અત્યંત ઘર્ષણ થાય છે. તેના લીધે ત્યાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આવું વૈજ્ઞાનિકો કહે છે. તથા હમણાં આપણે પન્નવણાસૂત્ર અને જીવાભિગમસૂત્રનો “રિસામુgિ આ પ્રમાણેનો પાઠ વિચારી ગયા તે મુજબ બલ્બમાં થતો ઉષ્ણ પ્રકાશ ખરેખર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ બાદર અગ્નિકાય સ્વરૂપ જ છે, સચિત્ત જ છે – એવું નક્કી થાય છે. વળી, અગ્નિકાયના ગુણધર્મો વિદ્યુતપ્રકાશમાં જોવા મળે જ છે. પ્રકાશ, ગરમી, દાહકતા વગેરે અગ્નિકાયના લક્ષણો તેમાં જોવા મળે છે જ. વીડિયો શૂટિંગ ચાલતું હોય ત્યારે જે લાઈટ ચાલુ કરવામાં આવે છે તેની બાજુમાં ઊભા રહેનારને ગરમીનો સખત અનુભવ થાય જ છે. લાંબા સમય સુધી બલ્બ ચાલુ રહે તો બલ્બ, મર્ક્યુરી લેમ્પ વગેરે તપી જાય છે. પ્રકાશમાન લેમ્પ ઉપર જો લાંબા સમય સુધી લુગડું રાખવામાં આવે તો તે પણ, બિલોરી કાચ વગેરેની સહાય વિના જ, બળી જાય છે. આ બધા લક્ષણો વીજળીના પ્રકાશનું તેઉકાય સ્વરૂપ સિદ્ધ કરે છે. ઉત્તર ૧૫: પ્રસ્તુત પ્રશ્નમાં ઉઠાવેલી શંકાઓ આપણે ક્રમશઃ જોઈએ. ૧. ફિલામેન્ટમાં વિદ્યુત-પ્રવાહના પ્રવેશને વૈજ્ઞાનિક કેવી રીતે સમજે છે, એની વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. (જુઓ – પ્રથમ ભાગ – નવમું પ્રભાગ) ત્યાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ટંસ્ટનના ધાતુના પરમાણુઓને વિદ્યુત-પ્રવાહનો વિદ્યુત આવેશ દ્વારા પોતાની ઊર્જા બદલાવી શકાય છે. જેનાથી ટંસ્ટનનું તાપમાન વધે છે. એમ તો પ્રત્યેક પદાર્થ સામાન્ય તાપમાન પર પણ ઉષ્માવિકિરણ ફેંકતા રહે છે, પણ જ્યારે ૨૫૦૦° ડિગ્રી સે. સુધી તાપમાન વધી જાય છે, તો થોડા પ્રતિશત ઉષ્મા-ઊર્જા દશ્ય રોશનીના રૂપમાં ઊર્જામાં વિકિરિત થાય છે, જેને આપણે બલ્બના પ્રકાશના રૂપમાં જોઈએ છીએ. પણ આ પ્રકારના બલ્બના પ્રકાશને સંઘર્ષ-સમુસ્થિત અગ્નિ કહેવું ઠીક નથી. પહેલાં જણાવ્યું છે કે ઑક્સિજનના અભાવમાં એ સંભવ પણ નથી. પ્રકાશ, ગરમી આદિ ગુણોના આધાર પર પણ વિદ્યુત પ્રકાશને અગ્નિ માની ન શકાય. કારણ કે એ ગુણ સૂર્યના આતપમાં પણ છે, પણ સૂર્યનું આતપ તેઉકાયિક નથી. સૂર્યના આતપમાં પણ લેન્સની નીચે રાખેલું કપડું બળી જાય છે, એટલે શું સૂર્યનું આતપ સ્વયં 183 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy