SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા અમે કરી ચૂક્યા છીએ. ખુલ્લા તારમાં હાઈ પાવરવાળો કરંટ વહેતો હોય ત્યારે જ્વલનશીલ પદાર્થ મળી જાય તો અગ્નિની ઉત્પત્તિ થઈ શકે છે, પણ એનો અર્થ એવો કરી લેવો કે તારમાં પ્રવાહમાન કરંટ સ્વયં તેઉકાય છે. એ ઠીક નથી. બહાર અગ્નિ પેદા કરવા માટે ચાર અનિવાર્ય ઘટક આવશ્યક છે. વિધ્યાત અગ્નિની ચર્ચા અમે કરી છે. બુઝાએલી અથવા વિધ્યાત અગ્નિ પહેલા પ્રગટ રૂપમાં હોય છે અને પછી ઉપરથી બુઝાએલી લાગે છે પણ અંદરથી તો બળતી રહે છે (અંતો અંતો ઝિયાયંતિ - સ્થા. ૮/૭૦૨નું એ જ તાત્પર્ય છે.) વીજળીની તારની અંદર એ વાત લાગુ નથી થતી. સ્પાર્કના વિષયમાં પણ અમે ચર્ચા કરી ચૂક્યા છીએ. ક્રોધી મનુષ્યની ઉપમા અતિજ્વલનશીલ પદાર્થ પર પણ લાગુ પડે છે, પણ પેટ્રોલ આદિને અગ્નિના રૂપમાં ન માની શકાય. શોર્ટ સર્કિટમાં આગ લાગવામાં પણ તેઉકાયની ઉત્પત્તિના ચારેય ઘટકો વિદ્યમાન હોય છે. એના વગર શોર્ટ સરકિટ નથી થતી કે નથી આગ લાગતી. મૂળમાં એક વાતને બહુ જ સ્પષ્ટ સમજવી જોઈએ કે વિદ્યુતનું અગ્નિના રૂપમાં પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા વગર અગ્નિ પેદા થતી નથી, ભલે તે વિદ્યુત હાઈ વોલ્ટેજવાળી હોય, હાઈ એમ્પિયર વાળો કરંટ હોય, સ્પાર્ક હોય કે જોઈ શકાય એવી વિઝિબલ રોશનીના રૂપમાં હોય. જેટલાં પણ ઉદાહરણ પ્રશ્નમાં આપેલાં છે, એ બધામાં જ્વલનશીલ પદાર્થ (રૂ, ઝાડ, માણસ વગેરે) અને ખુલ્લી હવા (ઑક્સિજન અથવા ઓઝોન) બન્નેનો સંપર્ક ઉચ્ચ તાપમાનવાળા વિદ્યુત સાથે થાય છે. જ્યાં આવું નથી થતું, ત્યાં અગ્નિકાય હોય શકે નહીં. ઉષ્ણતા જેમ અગ્નિનો ગુણ છે, તેમ અગ્નિ વગરના પદાર્થો યા તેઉકાય)માં પણ ઉષ્ણના વિદ્યમાન હોય છે. કારણ કે ઉષ્ણતા પોતે પોતાનામાં પૌગલિક છે, નિર્જીવ છે. વિદ્યુતનું ઉષ્ણતામાં પરિવર્તન થવું એ જ માત્ર “અગ્નિકાય' પેદા નથી કરતી, એની સાથે જ્યારે જ્વલનશીલ પદાર્થ અને ઑક્સિજન-બનેનો સંયોગ હોય ત્યારે જ એમાં “અગ્નિકાય' પેદા થાય છે. ભગવતીમાં અચિત્ત તેજોલેશ્યાના પુદ્ગલની ઉષ્ણતાનું એટલું સ્પષ્ટ ઉદાહરણ છે જે સોળ જનપદને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. પ્રશ્ન ૧૫: બલ્બમાં વીજળીના માધ્યમથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ ઇલેક્ટ્રિસિટીની જેમ સચિત્ત તેઉકાયસ્વરૂપ જ છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દષ્ટિએ કરોડો ઇલેક્ટ્રોનનો જથ્થો અત્યંત ઝડપથી સ્થૂલ વાયરમાંથી પસાર થઈને 182 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy