SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ High D.C./A.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરના સીધા જ સંપર્કમાં જો જમીન ઉપર ઊભેલો માણસ થોડો સમય રહે તો તેની રાખ થઈ જાય છે. જો ઈલેક્ટ્રિસિટી તેઉકાય જીવ ન હોય તો તેનાથી માણસની રાખ કેવી રીતે થઈ શકે? ઇલેક્ટ્રિસિટીને કાંઈ તેજોલેશ્યા તો માની ન જ શકાય. ઇલેક્ટ્રિસિટીમાં આપ નામ કર્મનો પણ ઉદય નથી. માટે ઉર્ણ સ્પર્શનામ કર્મના ઉદયવાળા તેઉકાય જીવ તરીકે જ તેનો સ્વીકાર કરવો વાજબી જણાય છે. આ રીતે માણસને ભસ્મીભૂત કરતી ઇલેક્ટ્રિસિટી કાર્ય દ્વારા તેઉકાયના જ એક વિલક્ષણ પ્રકાર સ્વરૂપે સિદ્ધ થાય છે કે જે સામાન્ય સંયોગોમાં દશ્યમાન બનતી નથી. પરંતુ ઓઝોનના સંપર્કમાં આવતાં તીવ્રતમ ઈલેક્ટ્રિસિટીને વહન કરતા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ દેખાય જ છે કે જે ઘર્ષણજન્ય અગ્નિકાય જીવ જ છે. આ વાત હમણાં જ આપણે જોઈ ગયા છીએ. તેમ જ High A.C. ઈલેક્ટ્રિસિટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વસ્ટેડ જાડા બે વાયરને એકદમ નજીક રાખવામાં આવે તો એક વાયરમાંથી તે ઇલેક્ટ્રિસિટી વિઝિબલ રેન્જમાં આવીને પ્રકાશ સ્વરૂપને ધારણ કરતી બીજા વાયરમાં ઝડપથી જતી જોવા પણ મળે જ છે. ટૂંકમાં, ઈનવિઝિબલ રેન્જમાં રહેલી પ્રવાહમાન ઇલેક્ટ્રિસિટી વિઝિબલ રેન્જમાં આવે તો સ્પાર્ક, વાળા વગેરે સ્વરૂપે દેખાય છે જ. જેમ અત્યંત ક્રોધી માણસ નાની-સૂની બાબતમાં ભડકી ઊઠે છે તેમ અત્યંત તીવ્રતમ ઇલેક્ટ્રિસિટી સ્વરૂપ ધગધગતો તેઉકાય અત્યંત સંવેદનશીલ (Sensitive) હોવાથી જરા-તરા નાનું સરખું પણ નિમિત્ત મળે કે તરત જ ભડકો-આગ-પ્રકાશઉષ્ણતા-દાહ વગેરેને પ્રગટ કરવા દ્વારા પોતાનું તેઉકાયપણું જાહેર કરી જ દે છે. એક પ્રકારના અગ્નિકાય દ્વારા બીજા પ્રકારનો અગ્નિકાય જરા વારમાં જ પ્રગટી શકે છે – આ વાત તો જગજાહેર જ છે. યોગ્ય વાતાવરણ/સંયોગ/સાધનસામગ્રી મળતાં જ અત્યંત ઝડપથી ઇલેક્ટ્રિસિટીમાંથી તણખા અને ભડકા ઉત્પન્ન થતાં અનેક માણસોને અનુભવાય જ છે. શોર્ટ સરકિટથી મંડપ વગેરેમાં આગ લાગવાના કિસ્સાઓ પણ સુપ્રસિદ્ધ જ છે. ઉત્તરઃ તારમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે, એનું પરિવર્તન ઉષ્માના રૂપમાં થઈ શકે છે અથવા કરી શકાય છે. ઉષ્ણતા સાથે જ્યાં સુધી બીજા બધા તેઉકાયના લક્ષણ પ્રગટ ન થાય ત્યાં સુધી તેઉકાયની ઉત્પત્તિ માની શકાય નહીં. તાર જ્યારે ઉષ્માને સહન નથી કરી શકતો, ત્યારે ગરમ થઈને પીગળી જાય છે. આની 181. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy