SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ રીતે ખુલ્લા હાઈટેન્શન વાયર નીચે જો કપાસનો ખુલ્લો ઢગલો પ૬ ફૂટ દૂર રાખવામાં આવે તો તે તરત સળગવા માંડે છે. માટે જ કપાસ-જિનની મિલોમાં હાઈટેન્શન વાયરની આજુબાજુમાં રૂનો ઢગલો કરવાની મનાઈ હોય છે. આગ લાગવાના અનેક પ્રસંગો દાહોદ વગેરેની જિનિંગ મિલમાં બની ચૂકેલા છે. આ હકીકત પણ ઇલેક્ટ્રિસિટીને તેઉકાય જીવસ્વરૂપે સિદ્ધ કરે છે. ઘર વગેરેમાં વપરાતી ફક્ત પાંચ કે પંદર એમ્પિયરવાળી ઇલેક્ટ્રિસિટીની ગરમી/ઉષ્ણતા અલ્પ હોવા માત્રથી તેને નિર્જિવ કહી ન જ શકાય. બાકી તો દાવાનળ કે ટાટા સ્ટીલની ભઠ્ઠીની અપેક્ષાએ અત્યંત ઓછી ઉષ્ણતાવાળી મીણબત્તી-અગરબત્તી વગેરેની આગને પણ નિર્જીવ માનવી પડશે. ઠાણાંગસૂત્રમાં (૮/૭૦૨) આ શબ્દો દ્વારા તથા જીવાભિગમસૂત્રમાં (૩/૨/૧૦૫) આવા શબ્દો દ્વારા અંદર ને અંદર ભડ-ભડ બળતું વધારે ઇંધણ મળે તો બહારમાં પણ પ્રકાશ-ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૨) ગ્રંથમાં અગ્નિકાય જીવના સાત પ્રકારો જણાવેલા છે. તેમાં ‘વિધ્યાત (સુષુપ્ત) અગ્નિ નામે જે સૌથી પ્રથમ પ્રકાર બતાવેલ છે તેની ઓળખાણ પણ ઉપર જણાવેલ અગ્નિનને પણ મળતી જ આવે છે. અંદરમાં સળગતો હોવા છતાં બહારથી તેના લક્ષણો પ્રગટપણે ન જણાવાથી જાણે બુઝાઈ ગયેલો દેખાતો હોવાથી તે વિધ્યાત (સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. પણ યોગ્ય ઇંધણ-વાતાવરણ આદિ સામગ્રી મળે કે તરત તેમાંથી ભડકો ઉત્પન્ન થાય તેવું લક્ષણ વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પણ જોવા મળે છે. તેથી પિંડનિયુક્તિ મુજબ વાયરમાં વહેતી વીજળીને પૂર્વોક્ત પૃષ્ઠ ૪,૪૧) વિધ્યાત નામના સચિત્ત અગ્નિકાય જીવ સ્વરૂપે પણ સ્વીકારી શકાય છે. તે કાંઈ અંદરમાં બુઝાઈ ગયેલ નથી. અંદરમાં ને અંદરમાં તે ભડ-ભડ બળે છે જ. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. શોર્ટ સરકિટ થતાં આગના ભડકા પણ પ્રગટે છે. બલ્બની અંદર ફિલામેન્ટમાં તે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. સ્કૂટર વગેરેના સ્પાર્કપ્લગમાં ઇલેક્ટ્રિસિટી તણખાને પણ ઉત્પન્ન કરે જ છે. સ્પાર્કપ્લગમાં એક વાયરના છેડેથી કુદકો મારતી-છલાંગ લગાવતી ઇલેક્ટ્રિસિટી સ્પષ્ટપણે તણખા સ્વરૂપે બીજા વાયરના છેડે જતી દેખાય છે જ. આ બાબત અત્યંત નિશ્ચિતપણે સિદ્ધ કરે છે કે ઇલેક્ટ્રિસિટી અગ્નિકાય જીવરૂપ જ છે. 180 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy