SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગથી ત્યાં તથાવિધ વાયુ પણ પ્રવેશી શકે છે. આટલું તો નિશ્ચિત જ છે.”૧૨ ઈન્ટરનેટના માધ્યમથી મળતી વિગતઃ “લાઈટ-બલ્બમાંથી મોટા ભાગની હવા બહાર કાઢી લેવામાં આવેલી હોય છે. જો આમ ન થયું હોય તો તે તાર વાસ્તવિક રીતે તુરંત બળી જાય. જ્યારે કોઈ વીજળીનો બલ્બ ઊડી જાય છે. તેનું કારણ એ છે કે તે ટંગ્ટનનો તાર ધીમે-ધીમે બાષ્પમાં રૂપાંતરિત થાય છે.''૧૩ અહીં આપણે જોઈ શકીએ કે “મોટા ભાગની હવા” આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આનાથી ફલિત એ થાય છે કે બલ્બમાં પણ અમુક અંશે હવા રહેલ છે જ. ઑક્સિજન આદિ વાયુ પણ ત્યાં અમુક અંશે વિદ્યમાન જ છે. બાકી તો બલ્બમાં ઑક્સિડેશનની પ્રોસેસ આધારિત ફિલામેન્ટનું રાખમાં રૂપાંતર/કાર્બનરૂપે પરિણમન ન જ થઈ શકે. ઑક્સિજન વિના ઑક્સિડેશન કઈ રીતે શક્ય બની શકે? ઑક્સિજન સાથે સંયોગીકરણ થવાથી પરમાણુમાંથી અથવા પરમાણસમૂહમાથી ઇલેક્ટ્રોનને દૂર કરવાથી મૂળભૂત વસ્તુનો નાશ થવાની પ્રક્રિયા વિજ્ઞાનની પરિભાષા મુજબ ઑક્સિડેશન તરીકે ઓળખાય છે.” આનું બીજું નામ “ડી-ઇલેક્ટ્રૉનેશન” છે. જો કે વિજ્ઞાનકોશ-રસાયણિવજ્ઞાન (ભાગ-૫/પૃષ્ઠ ૨૨૭-૩૦)માં જણાવ્યા મુજબ ક્લોરિન, ફલોરિન, ઓઝોન વાયુમાં પણ ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન ઑક્સિજન આધારિત માનવું પડે. અથવા ઑક્સિડેશન માટે જરૂરી કોઈ પણ વાયુનું ત્યાં અસ્તિત્વ તો માનવું જ પડે. તથાવિધ વાયુની ગેરહાજરીમાં તો ઑક્સિડેશન ન જ થઈ શકે. માટે વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર પણ બલ્બમાં વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જ. જો કે વર્તમાનકાળમાં સાયન્ટિસ્ટો નાઇટ્રોજન અને આર્ગન નામના વાયુનું બલ્બમાં અસ્તિત્વ રાખે જ છે. આ રહ્યા ઈન્ટરનેટ ઉપર મળતા શબ્દો. ‘Inertgases such as nitrogen and argon were later added to bulbs to reduce tungsten evaporation, or sublimation. (URL-http:// www.geocitied.com/bioelectrochemistry/coolidge.html)'24uld “20224] તરલ દ્રવ્યમાં રૂપાંતર થઈને ગેસ સ્વરૂપે બાષ્પીભવન (evaporation) ઘટાડવા માટે અથવા ટંગ્ટનનું સીધેસીધું ગેસસ્વરૂપે થતું રૂપાંતર (Sublimation) અટકાવવા માટે પાછળથી બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને ઓર્ગન ઉમેરવામાં આવ્યા. ૧૪ 160 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy