SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તો એનાથી પ્રાપ્ત સહજ પ્રકાશ વગેરેનો ઉપયોગ સાધુ દ્વારા કરાય તો એમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. (આ ચર્ચા અમે કરી ચૂક્યા છે.) પ્રશ્ન ૬ : આનો મતલબ એ થયો કે બલ્બ વગેરેમાં સ્કૂલ વેક્યૂમ જ કરવામાં આવે છે. તેથી તથાવિધ પાતળી હવા સ્વરૂપા વાયુકાયનું ત્યાં અસ્તિત્વ માનવામાં કોઈ વિરોધ નથી. અગર બલ્બમાં ૧૦૦ ટકા શૂન્યાવકાશ કરવામાં આવે તો ફિલામેન્ટમાં ઉત્પન્ન થનાર પ્રકાશ અને ગરમી બલ્બના કાચ સુધી પહોંચી જ ન શકે. કારણ કે ફિલામેન્ટમાંથી બલ્બના કાચ સુધી પહોંચવા માટે કોઈ વાહકદ્રવ્ય જ નથી. વાહક દ્રવ્ય વિના તો ગરમી, પ્રકાશ વગેરે આગળ વધી ન જ શકે - વિજ્ઞાન પણ આ વાત માને છે, બલ્બમાં થોડા અંશે હવા રહેલી હોય તો જ તે વાહકનું કામ કરીને ફિલામેન્ટની ગરમી અને પ્રકાશને બલ્બની કાચની સપાટી સુધી પહોંચવામાં સહાય કરી શકે. ખરેખર જિનાગમના સિદ્ધાંતોને સાયન્સની દૃષ્ટિએ વિચારવા હોય તો તે પૂર્વે સાયન્સનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો જોઈએ. જેથી જિનાગમ કે સાયન્સ બેમાંથી કોઈને પણ અન્યાય ન થાય. આવું થાય તો જ કાંઈક અંશે અભ્યાસમાં પ્રામાણિકતા રાખી એમ કહી શકાય. ઉત્તર : વૈજ્ઞાનિકો અનુસાર પ્રકાશ અથવા ઉષ્મા-તરંગોને પ્રસારિત કરવા માટે કોઈ ભૌતિક માધ્યમની અપેક્ષા જ નથી. આ તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, જે માધ્યમ વગર પ્રસારિત થઈ શકે છે. પોતાના આગ્રહને સિદ્ધ કરવા માટે મારી-મચડીને પ્રસ્તુત કરવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા વ્યક્તિ પર તો ઊંધો પ્રભાવ જ પડશે. વિજ્ઞાનનો આ સર્વસામાન્ય નિયમ છે કે પ્રકાશ-તરંગ, ઉષ્મા-તરંગ વગેરે વિદ્યુત-ચુંબકીય તરંગો છે, જે શૂન્યમાં પણ પ્રસારિત થાય છે. આ આધાર પર આઇન્સ્ટાઇને ઇથર નામના કાલ્પનિક માધ્યમનો અસ્વીકાર કર્યો હતો. ધ્વનિના તરંગો માધ્યમ વગર નથી ચાલતા, માટે વેક્યૂમમાં એ ગતિ કરી શકતા નથી. પ્રશ્ન ૭ઃ જૈનાગમ મુજબ પણ પ્રકાશમાન બલ્બમાં પુદ્ગલદ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધિ થાય જ છે. માટે જૈનાગમ મુજબ પણ એબ્સોલ્યૂટ વેક્યૂમ બલ્બમાં માની ન જ શકાય. સ્વીચ ઓન કર્યા પૂર્વે બલ્બમાં પ્રકાશ ન હતો. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન થતો દેખાય છે. માટે બલ્બમાં પાછળથી ઇલેક્ટ્રોન આદિ પુદ્ગલદ્રવ્યનો પ્રવેશ તો સિદ્ધ થાય જ છે. આમ વાયરના માધ્યમથી બલ્બમાં ઇલેક્ટ્રિસિટી પ્રવેશ કરી શકે છે તો તે વાયર-માર્ગથી કે અન્ય Jain Educationa International 159 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy