SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોય છે. અહીં ખાલી જગ્યામાં હવા (ઑક્સિજન) પણ વિદ્યમાન છે. પણ ડિસ્ચાર્જની તીવ્રતાનો આધાર વોલ્ટેજ પર છે. અતિ તીવ્ર વોલ્ટેજ હોય ત્યારે તો સ્પાર્કનું તાપમાન પણ અત્યધિક થઈ શકે છે. જે ઘૂસોલ્ડ તાપમાનથી અધિક થવાથી તેઉકાયની ઉત્પત્તિનું નિમિત્ત બની શકે છે. જો તાપમાન “Threshold' (ન્યૂનતમ સીમા)થી નીચે હોય, તો સ્પાર્ક હવાના સંપર્કમાં પણ અગ્નિ એટલે કે કંબશ્ચયનની ક્રિયા નથી કરી શકતો એટલે જ્યાં હાઈ વોલ્ટેજનો વિદ્યુત-પ્રવાહ હોય છે, ત્યાં આગની શક્યતા હોઈ શકે છે. એ ન થાય માટે સ્પાર્કને કોઈપણ coolant દ્વારા મંદ કરવામાં આવે છે. તથા ઓક્સિજનના સંપર્કમાં આવે એવી સાવધાની રખાય છે. "fuse'ની વ્યવસ્થા પણ એટલા માટે જ કરાય છે કે અધિક વોલ્ટેજ હોય તો fuse નો તાર પીગળી જાય છે અને સરકિટ તૂટી જાય છે, જેથી આગ લાગતી નથી. સામાન્ય વોલ્ટેજ પર સ્વીચમાં રહેલા સ્પાર્કનો હવા સાથે સંપર્ક થવાથી પણ મંદ ઊર્જા હોવાના કારણે અગ્નિની ક્રિયા નથી થતી. અકસ્માત કોઈ કારણથી વોલ્ટેજમાં અત્યધિક વૃદ્ધિ થઈ જાય તથા અન્ય સાવધાની રાખવામાં આવી ન હોય તો કોઈ કોઈ વખત સ્વીચનો સ્પાર્ક પણ ભયરૂપ બની જાય છે. આ ફક્ત અપવાદક છે. આ ચર્ચાનો સાર એ છે કે સામાન્ય રીતે સ્વીચ ઓન કરવામાં આવે ત્યારે થનાર સ્પાર્કમાં અગ્નિની ઉત્પત્તિ નથી – જેમ કે ઉનની કામળી, પોલિથિન, વગેરેના પ્રયોગમાં સ્પાર્ક હોય છે પણ આગ નથી લાગતી. પ્રશ્ન ૫: શું માઈક-લાઈટ-ફોન-ફેક્સ-ટેલેક્સ વગેરે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ સાધુ કરી શકે? ઉત્તર: પહેલાં તો એ સમજવું જોઈએ કે આ બધાં સાધનોનો પ્રયોગ જો ગૃહસ્થ એની સુવિધા માટે કરે છે તો એમાં સાધુ દોષના ભાગી થાય કે નહીં. બીજી વાત – ઇલેક્ટ્રિસિટીના ઉપયોગવાળા સાધનોમાં શું તેઉકાયના જીવની વિરાધના થાય છે? જેમ પહેલી ચર્ચાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે તો એ આધાર પર આ સાધનોના પ્રયોગમાં તેઉકાયિક જીવની વિરાધનાનો પ્રસંગ કેવી રીતે આવશે? આ સંબંધમાં પણ પૂર્વ પ્રશ્નોના ઉત્તરમાં સ્પષ્ટીકરણ થઈ ગયું છે. હવે વાત રહે છે વ્યવહારની. વ્યવહારની દૃષ્ટિથી એ ઉચિત છે કે સાધુ પોતે એનો પ્રયોગ ન કરે કે બીજા પાસે ન કરાવે કે ન એનું અનુમોદન કરે. લાઇટ વગેરેનો ગૃહસ્થો દ્વારા પોતાના ઉપયોગ માટે લેવાના જે પ્રયોગ થાય છે, 158 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy