SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 4. EDM with silicon powder mixed fluid results in the stable machining without short circuit between the electrode and the workpiece. ઉપરના ઉદાહરણના આધારે સ્પષ્ટ થાય છે કે કેરોસીન તેલમાં તીવ્ર ઇલેક્ટ્રિક સ્પાર્ક (discharge) પેદા થવાથી પણ આગ નથી લાગતી કારણ કે કેરોસીનમાં ઑક્સિજન હાજર નથી હોતો. આજ સ્પાર્ક કેરોસીનની સપાટી પર હોત તો ભયંકર આગ પેદા કરી શકાઈ હોત. એટલે આ સિદ્ધ થાય છે કે સ્પાર્ક સ્વયં અગ્નિ નથી. જેમ કે ઉપર બતાવાયું છે કે, E.D.M. મશીનમાં કેરોસીનના સ્થાન પર “અજ્વલનશીલ પ્રવાહી પદાર્થ પણ coolant ના રૂપમાં રખાય છે, જેનાથી ભય પેદા ન થાય. આ સિદ્ધ કરે છે કે અજ્વલનશીલ પદાર્થ કેટલો પણ ઉચ્ચ વોલ્ટેજ હોવા છથાં પણ આગ પકડતો નથી. ૨. બીજું ઉદાહરણ છે - હાઈ વોલ્ટેજના વિદ્યુત-પ્રવાહમાં “આયલ સરકિટ બ્રેકર'નો ઉપયોગ. આ વ્યવસ્થા દ્વારા જ્યારે કોઈ ફોલ્ટના કારણે વોલ્ટેજ અથવા કરંટમાં અચાનક વૃદ્ધિ થાય તો સરકિટને તોડી નખાય છે. આ વ્યવસ્થામાં પણ તેલની અંદર સ્વીચ રહેવાથી ઑક્સિજનના અભાવમાં સ્પાર્કનો ડિસ્ચાર્જ ફક્ત “ફૂલેશ પેદા કરશે પણ અગ્નિ નહીં. “આયલ સરકિટ બ્રેકર'ની જાણકારી ટિપ્પણમાં આપી છે. ૩. ત્રીજું ઉદાહરણ છે – ઉનની શાલ અથવા પ્લાસ્ટિકમાંથી નીકળેલો ઇલેક્ટ્રિક સ્પાર્ક. આ સ્પાર્ક જો ખુલ્લી હવામાં ઑક્સિજન સાથે સંપર્કમાં આવે તથા જ્વલનશીલ પદાર્થ – ઉન, પ્લાસ્ટિક આદિ પણ હાજર હોય તો પણ જરૂરી તાપમાનના અભાવના કારણે “આગ” લાગતી નથી. નહીં તો ઉનની શાલ અથવા કામળી અથવા પ્લાસ્ટિકની થેલી વગેરે બળી જાત. “ઘૂસોલ્ડ તાપમાનના અભાવમાં - એટલે કે જ્વલનબિંદુથી ઓછા તાપમાનમાં - જો વિદ્યુત ચુંબકીય ઊર્જાનું વિકિરણ થાય તો એ “કંબશ્ચનની પ્રક્રિયા કરવામાં સમર્થ નથી. આ આધાર પર જૈન સાધુ માટે ઉનની શાલનો પ્રયોગ હજારો વર્ષોથી માન્ય છે. જો આ ચિનગારિયોને પણ “મુર્મર'ની કોર્ટમાં રાખીએ, તો પછી ઉનની શાલનો પ્રયોગ જૈન સાધુ કેવી રીતે કરી શકે ? હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ - વિદ્યુત-પથ circuiાને બાધિત કરવા માટે સ્વીચનો પ્રયોગ કરાય છે, જેવી સ્વીચ ઓન થાય છે, ખાલી જગ્યામાં ડિસ્ચાર્જ વહે છે, જે ક્ષણિક સ્પાર્કના રૂપમાં 157 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy