SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વાત ભલે વિજ્ઞાનની હોય કે આગમની, પહેલા તો આપણી સમજણને આપણે સમ્યક્ બનાવવાની જરૂરી છે. આવી કોઈપણ વાતની આગમના કે વિજ્ઞાનના નામ પર સમજ્યા વગર પ્રરુપણા કરવી એ પણ ન્યાયયુક્ત ન ગણાય. ૪. કોઈપણ તત્ત્વ-નિર્ણયના ઉદ્દેશ સુવિધા-અસુવિધા, સગવડ-અગવડ, પ્રચાર-પ્રસારમાં ઉપયોગિતા, આધુનિકતાનો વ્યામોહ આદિ ન હોવાં જોઈએ. એવી જ રીતે માત્ર પરંપરાનો જ આગ્રહ પણ ન રાખવો જોઈએ. બીજી એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે એક વાર તત્ત્વ નિર્ણય થઈ જાય પછી શું કરવું-શું ન કરવું એ વાત દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની દૃષ્ટિએ વિચારવી જોઈએ, નવીનતા અને પ્રાચીનતાના આધારેતો નહીં. ૫. જે વિષયમાં આગમ ન તો સાધક છે, ન તો બાધક છે; એના સંબંધમાં બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાનના માધ્યમથી યથાર્થ સ્વીકાર કરવામાં અચકાવું ન જોઈએ. આ મૂળભૂત આધારો પર વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી સચિત્ત તેઉકાય છે કે નિર્જીવ-પુદ્ગલ ? - એ વિષયની ચર્ચા પ્રસ્તુત કરવાનો આ લેખનો ઉદ્દેશ્ય છે. અત્યાર સુધી જે વિચાર આ વિષયમાં પ્રસ્તુત થયો છે, એની સમીક્ષા કરતાં પૂર્વે, થોડી મૂળભૂત વાતો જે જૈન આગમો, જૈન ગ્રંથો અને જૈન પરંપરામાં ઉપલબ્ધ છે, એના વિષે તથા વૈજ્ઞાનિક અવધારણાઓ સ્પષ્ટપણે સમજવી જરુરી છે, એના પર પ્રકાશ પાડવો અપેક્ષિત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy