SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પાછું એને સિદ્ધ કરવા માટે આ પ્રકારનો કાલ્પનિક આધાર પ્રસ્તુત કરવો એ ન્યાયસંગત નથી. પ્રત્યુત આગમવચન દ્વારા જ્યારે સ્પષ્ટ રૂપમાં વાયુ વગર અગ્નિના અસ્તિત્વનો અસ્વીકાર કરાયો છે તથા આ વાયુ ઑક્સિજન યા પ્રાણવાયુ) જ છે – એવું પ્રત્યક્ષ અનુભવથી પ્રમાણિત થઈ રહ્યું છે, ત્યારે એના અભાવમાં તેઉકાયના અસ્તિત્વને કોઈપણ પ્રકારે સિદ્ધ નથી કરી શકાતું. બલ્બમાં ઑક્સિજન સિવાય અન્ય વાયુનું અસ્તિત્વ હોવાં છતાં અગ્નિ હોતો નથી, કારણ કે ત્યાં ઉપસ્થિત બીજા વાયુ નિષ્ક્રિય છે. જો નાઇટ્રોજન, ઓર્ગોન વગેરે નિષ્ક્રિય વાયુમાં દહનક્રિયા સંભવ હોય તો એવા વાયુમાં અંદર પાછો દીપક વગેરે શા માટે બુઝાઈ છે? આ તો બહુ જ સામાન્ય પ્રયોગના આધારે જાણી શકાય છે કે નિષ્ક્રિય વાયુઓમાં અગ્નિ બુઝાઈ જાય છે. અહીં એ તર્ક આપીએ કે ક્લોરિન અથવા ફુલોરિનમાં લોખંડ બળે છે એ પણ સંગત નથી, કારણ કે બલ્બમાં ક્લોરિન, ફલોરિન પણ નથી હોતા. પ્રશ્ન ૨: “અહીં કદાચ કોઈને શંકા થઈ શકે કે “બલ્બની અંદર વાયુની હાજરી હોય અને વીજળીથી લાઈટ-પ્રકાશ ચાલુ થાય તો બલ્બ ફૂટી ગયા પછી વિજળીપ્રવાહ ચાલુ હોવાં છતાં બલ્બ કેમ ચાલુ થતો નથી?' પરંતુ આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે બલ્બની અંદર અગ્નિને સળગવામાં જેટલા પ્રમાણમાં વાયુની આવશ્યકતા હોય છે, તેના કરતાં અતિ વધુ પ્રમાણમાં બહારનો વાયુ અથવા બલ્બમાં પ્રકાશમાન એવા ટંસ્ટન તારનો વિરોધી વાયુ, બલ્બ ફૂટી જતાં ત્યાં ભેગો થવાથી લાઈટ બંધ થઈ જાય છે. વાયુ હોય ત્યાં જ અગ્નિ સળગી, શકે – આ સિદ્ધાંત માન્ય હોવા છતાં જેમ ચીમનીવાળું સળગતું ફાનસ ચીમની ફૂટી જતાં બહારના વેગવંતા પવનની જોરદાર ઝાપટથી બુઝાઈ જાય છે. તે રીતે ઉપરોક્ત બાબત સમજી શકાય છે.” માણસ ભોજન-પાણીના આધારે જીવે છે. પણ અતિ વધુ પ્રમાણમાં ભોજનપાણી લેવામાં આવે તો તે જ ભોજન-પાણી માણસના મોતનું કારણ બની શકે છે. તેમ વાયુ હોય ત્યાં જ અગ્નિકાય ઉત્પન્ન થાય - આ વાત સાચી. પણ આવશ્યકતા કરતાં અતિ વધુ પ્રમાણમાં વાયુનું દબાણ આવે તો અગ્નિકાય ઓલવાઈ જાય. ફૂંક મારવાથી દીવો બુઝાઈ જ જાય છે ને ! તેલથી ચાલતા દીવા ઉપર તેલનો ડબ્બો એકી સાથે ઊંધો વાળી દેવામાં આવે તો દીવો પણ બુઝાઈ જ જાય છે ને ! માટે તો “તિ સર્વત્ર વર્ન' એવી કહેવત પડી છે. જો કે આ વાત અમે અહીં જનસામાન્ય સમજી શકે તે આશયથી લૌકિક દૃષ્ટિએ બતાવેલ 146 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy