SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છે આ વાત વાચકવર્ગે ખાસ ધ્યાનમાં લેવી. પરંતુ આ જ ઘટનાને સાયન્સની દૃષ્ટિએ મૂલવવી હોય તો એમ કહી શકાય કે વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી વખતે જો બલ્બ ફૂટેલો હોય તો બહારના અન્ય પ્રતિકુળ વાયુના સંપર્કથી બલ્બનો ફિલામેન્ટ બળી જાય છે, માટે તૂટેલો બલ્બ સળગતો નથી. બલ્બમાં ટંગ્સ્ટન ધાતુથી બનેલો એક પાતળો વાયર હોય છે. અંગ્રેજીમાં તે ‘ફિલામેન્ટ’ તરીકે ઓળખાય છે. સ્વીચને ‘ઓન’ કરતાંની સાથે જ ઇલેક્ટ્રિસિટીનો ફૂલો સ્વીચને પસાર કરીને બલ્બમાં પહોંચે છે. જ્યારે બલ્બમાં રહેલા ‘ફિલામેન્ટ'માં વીજળીનો પ્રવાહ પહોંચે છે ત્યારે તે ફિલામેન્ટ ગરમ થાય છે. આ ગરમી એટલી બધી ઉગ્ર હોય છે કે ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. ટંગ્સ્ટન નામની ધાતુ ૩૪૨૦° સે. તાપમાને ઓગળે છે. તથા ૫૮૬૦૦ સે. તાપમાને ઊકળે છે. (જુઓ બંસીધર શુક્લ કૃત - પ્રસન્નિકા વિક્રમકોશ પૃષ્ઠ ૫૭) પ્રકાશમાન બલ્બના ફિલામેન્ટમાં ૨૭૬૦° સે. તાપમાન હોય છે. એટલે બલ્બમાં વીજળીની ગરમીથી આ વાયર ઓગળી જતો નથી. પણ ફૂટેલા બલ્બમાં બહારની પ્રતિકૂળ હવાનું ફિલામેન્ટ સાથે જોડાણ અને વીજળીનું ત્યાં આગમન – આ બે ઘટના થતાં ફિલામેન્ટ બળી જાય છે, માટે તૂટેલો બલ્બ સળગતો નથી.’’૨ = ઉત્તર ઃ જેમ ઉપરોક્ત પ્રશ્નની દલીલમાં પહેલાં ચિત્ત તેઉકાયનું અસ્તિત્વ માની લીધું અને પછી એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રમાણે પ્રસ્તુત દલીલમાં પણ જોઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની દલીલને કેવી રીતે સ્વીકાર કરી શકે ? બલ્બ પ્રકાશિત થતા પહેલાં ત્યાં અગ્નિ હતા જ નહીં, તો પછી પ્રમાણથી વધારે પ્રમાણમાં વાયુ અથવા વિરોધી વાયુથી એનું બુઝાઈ જવું કેવી રીતે સંગત છે ? આપણે ફરીથી એકવાર ઇલેક્ટ્રિસિટી ઊર્જાના રૂપાંતરણને સમજીએ. (૧) બલ્બમાં ટંગ્સ્ટનનો પાતળો તાર બળતો નથી. ઇલેક્ટ્રિક ઊર્જા (energy) પ્રકાશ અને ઉષ્મામાં રૂપાંતરિત થાય છે ત્યારે કંબશ્ચન (દહન) હોતું જ નથી, કારણ ત્યાં ઑક્સિજન નથી. (૨) ઇલેક્ટ્રિક હીટર જે ખુલ્લા આકાશમાં પણ ચાલે છે, ત્યાં તો ઓક્સિજન વિદ્યમાન છે. ત્યાં બહુ જ વેગવાન વાયુથી હીટર શા માટે બુઝાઈ જતું નથી ? વસ્તુતઃ હીટરમાં તારનું ગરમ થવું અને ઉષ્મામાં બદલાઈ જવું એ ક્રિયામાં ઑક્સિજન અથવા વાયુને કોઈ સંબંધ નથી. Jain Educationa International 147 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy