________________
શ્રી સમયસાર
સંસારે સ્થિત જીવને, વર્ણાદિ કદી હોય; પણ સંસારવિમુક્તને, નહિ વર્ણાદિક કોય. ૬૧
જે સર્વ અવસ્થામાં જે ભાવ સાથે વ્યાપે અને કોઈ અવસ્થામાં તે ભાવની વ્યાપ્તિ રહિત ન હોય, તે તે ભાવ સાથે તાદાભ્ય સંબંધ ધરાવે છે. પુદ્ગલ સર્વ અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્ત છે, કોઈ અવસ્થામાં વર્ણાદિથી અવ્યાપ્ત નથી, તેથી પુદ્ગલને વર્ણાદિ સાથે તાદાત્મ સંબંધ છે. પણ આત્મા તો સંસાર અવસ્થામાં હોય ત્યાં સુધી પણ કથંચિત્ એટલે કોઈ અપેક્ષાએ વર્ણાદિ સાથે વ્યાપ્ત છે; અને મોક્ષ અવસ્થામાં વર્ણાદિથી સર્વથા અવ્યાપ્ત છે, તેથી આત્માને વર્ણાદિ સાથે તાદાભ્ય સંબંધ જરા પણ નથી.
જીવને વર્ણાદિ સાથે તાદાત્મ માનવામાં શો દોષ આવે છે? તે કહે છે
जीवो चेव हि एदे सव्वे भावात्ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य णस्थि विसेसो दु दे कोई ॥२॥ જડના તેમ જ જીવના, છે વર્ણાદિ અશેષ; એમ માન તો નહિ બને, જીવાજીવ વિશેષ. ૬૨
જેમ વર્ણાદિ ભાવ આવિર્ભાવ-તિરોભાવપણે થોડે ઘણે અંશે પ્રગટ થઈને સર્વ અવસ્થામાં પુદ્ગલ દ્રવ્યને અનુસરતા પુદ્ગલ સાથે તાદાભ્યપણું પ્રગટ કરે છે, તેમ તે તે રીતે જીવને અનુસરતા જીવ સાથે પણ તાદાભ્યપણું પ્રગટ કરે છે એમ જેનો આગ્રહ હોય, તેના મતે પુદ્ગલ સિવાયના દ્રવ્યોમાં અસાધારણ એવા વર્ણાદિનો જીવ દ્વારા સ્વીકાર થતાં પુદ્ગલ અને જીવની વિશેષતા ન રહે. તેથી પુદ્ગલથી ભિન્ન જીવદ્રવ્યના અભાવનો પ્રસંગ આવે.
સંસાર અવસ્થામાં પણ જીવને વર્ણાદિથી તાદાત્મ માનતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org