________________
૧. જીવાજીવ અધિકાર
पंथे मुस्संतं पस्सिदूण लोगा भषांति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ एवं गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सव्वे ववहारस्स य णिच्छयदण्डू ववदिसति ॥ ६० ॥ જેમ માર્ગમાં પથિકને, લૂંટાતા અવલોક ‘માર્ગ આ લૂંટાય છે', એમ કહે છે લોક. ૫૮ તેમ જોઈ આ જીવમાં, વર્ણ કર્મ નોર્મ શ્રી જિન નય વ્યવહારથી, હે જીવના ધર્મ, ૫૯ એમ ગંધ રસ સ્પર્શરૂપ, તથા દેહ સંસ્થાન; ‘જીવ સર્વ' વ્યવહાર એ, કહે પરમાર્થ સુજાણ. ૯૦
૫૭
જેમ વ્યવહારી લોકો માર્ગમાં મુસાફરને લૂંટાતા જોઈને ‘આ માર્ગ લૂંટાય છે' એમ કહે છે, તેમ જીવમાં વર્ણાદિયુક્ત કર્મ નોકર્મને જોઈને, તે વર્ણાદિ આત્માના છે એમ વ્યવહારથી ભગવાને કહ્યું છે. પણ જેમ માર્ગ લૂંટાય નહીં તેમ નિત્ય અમૂર્ત અને ઉપયોગ લક્ષણવાળા જીવમાં વર્ણાદિ નથી. અર્થાત્ વ્યવહારનું કથન ઉપચાર માત્ર છે, વાસ્તવિક નથી. તેથી ક્યારેય ભિન્ન ન થઈ શકે એવા તાદાત્મ્ય લક્ષણે તે વર્ણાદિથી ગુણસ્થાન સુધી કોઈ પણ આત્માના નથી.
જીવને વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ શાથી નથી ? તે કહે છે -
तत्थ भवे जीवाणं संसारत्थाणं होंति वण्णादी । संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ॥ ६१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org