________________
(૨૭) જે ચારિત્રમોહ વિપાકની ક્રમે નિવૃત્તિ થવારૂપ સંયમલબ્ધિસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૮) જે પર્યાપ્ત અપર્યાપ્તસૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય, સંશીપંચેંદ્રિય, ને અસંજ્ઞીપંચેંદ્રિય એ ૧૪ ભેદે જીવસ્થાન છે તે જીવના નથી. (૨૯) જે મિથ્યાવૃષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ, સભ્યગ્મિથ્યાવૃષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયુત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, ઉપશમકક્ષપક, અનિવૃત્તિકરણ અથવા બાદરસાંપરાય ઉપશમકક્ષપક, સૂક્ષ્મસાંપરાય ઉપશમકક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવલી અને અયોગકેવલી એ ૧૪ ભેદે ગુણસ્થાનો છે તે સર્વ પણ પુદ્ગલ દ્રવ્ય પરિણામપણે. અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનાં નથી.
શાલિની
वर्णाद्या वा रागमोहादयो वा
भिन्ना भावाः सर्व एवास्य पुंसः तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥३७॥
બહિરંગ વર્ણાદિ અથવા અંતરંગ રાગમોહાદિ એ સર્વ ભાવો આ આત્માથી ભિન્ન જ છે. તેથી અંતરમાં વાસ્તવિકપણે જોતાં-શુદ્ધ આત્મામાં લીન થતાં--એ ભાવો દેખાતા નથી, માત્ર એક આત્મા જ દેખાય છે. (કલશ ૩૭) શંકા :- જો આ વર્ણાદિ ભાવો જીવના નથી તો અન્ય કર્મસિદ્ધાંતગ્રંથ વગેરેમાં તે જીવના કેમ કહ્યા છે ? સમાધાન :
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥
૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org