SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૫૧ છતાં સ્વસંવેદન બળથી જીવ નિત્ય આત્મા-પ્રત્યક્ષ છે, તોપણ તેને ઇન્દ્રિયથી જાણવામાં બાહ્ય ચિહ્નરૂપ અનુમેય માત્રનો અભાવ હોવાથી જીવ અલિંગગ્રહણ છે. એ રીતે પુગલના ગુણોથી રહિત અને ઇન્દ્રિયથી અગોચર એવો જીવ ચેતના ગુણવાળો છે. તે આ પ્રકારે : સમસ્ત વિવાદને હઠાવનાર ભેદવિજ્ઞાનીઓને સર્વસ્વ અર્પણ કરનાર, સંપૂર્ણ લોકાલોકને જાણવારૂપે કોળીઓ કરીને અત્યંત તૃપ્તિથી જાણે ધીમા શાંત થયેલા, સર્વકાળ લેશ પણ ચલાયમાન ન થતાં, તેમજ અનન્યસાધારણપણે, સ્વભાવભૂત અને સ્વયં અનુભવાતા એવા ચેતનાગુણ વડે નિત્ય અંતરમાં પ્રકાશતો હોવાથી જે ચેતનાગુણવાળો છે, તે જ ખરેખર ભગવાન અમલ આલોક (નિર્મળ દર્શનજ્ઞાનરૂપ) જગતમાં એક ટંકોત્કીર્ણ પ્રત્યમ્ જ્યોતિરૂપ જીવ છે. માલિની सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्त स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनंतम् ॥३५॥ ચૈિતન્યશક્તિથી રહિત એવા સર્વ પદાર્થોનો શીધ્ર ત્યાગ કરીને અને અત્યંત પ્રગટ એવી પોતાની ચૈતન્યશક્તિમાત્ર ભાવમાં પ્રવેશ કરીને, વિશ્વની રમણીયતામાં સર્વત્ર ઉપર જ તરી આવતું આ જે પરમૌત્મારૂપ અનંત આત્મતત્ત્વ છે, તેનો પોતાના આત્મામાં તમે સાક્ષાત્ અનુભવ કરો. (કલશ ૩૫) ચૈતન્યથી અન્ય ભાવો પુદ્ગલમય છે એ વિષેની ગાથાઓનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy