________________
શ્રી સમયસાર
દરેકમાં છ પ્રકારે કારણ સહિત વ્યાખ્યાન વિચારી લેવું. શબ્દ એ પુદ્ગલનો ગુણ નથી પણ પર્યાય છે તેથી તેના સંબંધમાં ગુણને ઠેકાણે પર્યાય સમજવો, જેમકે જીવ (૧) પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે તેથી તેનામાં શબ્દપર્યાયનો અભાવ હોવાથી અશબ્દ છે... વગેરે.
૫૦
સંસ્થાન એટલે આકાર. જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે એટલે તેનો આકાર કહી શકાતો નથી તે આ પ્રકારે (૧) પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા શરીરના સંસ્થાનને આત્માનો આકાર કહેવાની અશકયતાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૨) નિયત સ્વભાવવાળો આત્મા અનિયત સંસ્થાનવાળા અનંત શરીરમાં રહી શકતો હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૩) સંસ્થાન નામકર્મનો પુદ્ગલમાં નિર્દેશ થતો હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૪) ભિન્ન ભિન્ન સંસ્થાનરૂપ પરિણમેલા સમસ્ત વસ્તુસમુદાયને એકત્રપણે જાણવાની શક્તિવાળો છતાં પોતે અખિલ લોકમાં મિલનશૂન્ય અસંગ છે એવી પ્રગટ થતી નિર્મળ અનુભૂતિથી અત્યંત નિરાકાર હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે.
જીવ (૧) શેયરૂપે વ્યક્ત એવા પદ્ભવ્યાત્મક લોકથી જ્ઞાતાપણે અન્ય હોવાથી અવ્યક્ત છે, (૨) વ્યક્ત એવા કષાય સમુદાયરૂપ ભાવકથી અન્ય હોવાથી અવ્યક્ત છે, (૩) અવ્યક્ત ચૈતન્ય સામાન્યમાં સમસ્ત વ્યક્ત પદાર્થો મગ્ન થાય છે તેથી અવ્યક્ત છે, (૪) આત્માને ક્ષણભર પણ વ્યક્તપણાનો સદ્ભાવ ન હોવાથી અવ્યક્ત છે; (૫) વ્યક્ત અવ્યક્ત અને મિશ્ર પ્રતિભાસવા છતાં કેવળ વ્યક્તપણાને સ્પર્શતો ન હોવાથી અવ્યક્ત છે, (૬) બાહ્ય અને અંતરંગમાં સ્વયં પ્રગટ અનુભવાતા છતાં તેની વ્યક્ત થવા પ્રત્યે ઉપેક્ષા પ્રકાશે છે તેથી અવ્યક્ત છે.
રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તત્ત્વનો અભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org