SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૪૯ - જો એમ જ છે, તો તે ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ કેવા લક્ષણવાળો છે? તેના ઉત્તરમાં કહે છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं । जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठसंठाणं ॥४९॥ સ્પર્શ-રૂપ-રસ-ગંધ વણ, જીવ ચેતનાવાન; શબ્દ વ્યક્તિ કે લિંગ વણ, અનિર્દિષ્ટસંસ્થાન. ૪૯ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અવ્યક્ત, અલિંગગ્રહણ અને અનિર્દિષ્ટસંસ્થાન એવો તે જીવ ચેતના ગુણવાળો છે. તે આ રીતે : જીવ (૧) પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે, તેથી તેનામાં રસ ગુણનો અભાવ હોવાથી અરસ છે. (૨) પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે તેથી પોતે રસ ગુણરૂપે ન થવાથી અરસ છે. (૩) પરમાર્થથી તેને પુલના સ્વામીપણાનો અભાવ છે તેથી દ્રવ્યેન્દ્રિયના અવલંબનથી રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૪) સ્વભાવથી તેને ક્ષાયોપથમિક ભાવનો પણ અભાવ છે તેથી ભાવેન્દ્રિયના અવલંબનથી પણ પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ સ્વભાવવાળો છે, તેથી માત્ર રસવેદના પરિણામને પ્રાપ્ત થઈને પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૬) સંપૂર્ણ શેયને જ્ઞાયક સાથે તાદાભ્યનો નિષેધ છે, તેથી રસને જાણવામાં પરિણમેલો છતાં પોતે રસરૂપે પરિણમતો ન હોવાથી અરસ છે. 1 ઉપર જે રીતે આત્મા અરસ હોવામાં છ કારણો કહ્યાં તે જ રીતે “રસને ઠેકાણે અનુક્રમે “રૂપ' “ગંધ “સ્પર્શ” અને “શબ્દ” મૂકીને આત્મા અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, અશબ્દ છે એમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy