________________
૧. જીવાજીવ અધિકાર
1
કપ
૫. વિશ્વમાં પુણ્યપાપ રૂપે પ્રવર્તી રહેલ કર્મવિપાક જ જીવ છે. ૬. શાતાઅશાતાના તીવ્રમંદ ભેદયુક્ત અનુભાગ અથવા કર્મનો
રસ એ જ જીવ છે. ૭. જીવ ને કર્મનું શિખંડ જેવું મિશ્રણ એ જ જીવ છે. ૮. ખાટલાના આઠ લાકડાની જેમ આઠ કર્મનો સંયોગ જ જીવ છે.
એ રીતે બીજા પણ કુમતિવાળા ઘણા પ્રકારે પરને આત્મા કહેવારૂપ મિથ્યા કથન કરે છે, પરંતુ તેઓ આત્માને યથાર્થ કહેનારા નથી, એમ જ્ઞાનીઓ કહે છે. શાથી તેઓ યથાર્થ કહેનારા નથી ? તે દર્શાવે છે. एए सव्वे भावा पुग्गलदव्वपरिणामणिप्पण्णा । केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति ॥४४॥ પુગલનાં પરિણામથી, ભાવો તે તે થાય; કેવલી જિને ભાખિયા, ચેતન કેમ કહાય ? ૪૪
જેથી એ અધ્યવસાનાદિ સર્વ ભાવો વિશ્વસાક્ષી એવા અર્ધદ્ભગવંતોએ પુદ્ગલનાં પરિણામથી ઉદ્ભવેલા કહ્યા છે, તેથી તે ચેતનરૂપ થવા અસમર્થ છે. પરને આત્મા કહેનારાઓનું કથન, આગમ, યુક્તિ અને સ્વાનુભવ પ્રમાણથી બાધિત હોવાથી યથાર્થ નથી. તે આ પ્રકારે –
જે આત્મવાદી હોય તે પરમાર્થવાદી છે એમ આગમ વચન છે. હવે યુક્તિ અને અનુભવથી કહે છે:
રાગદ્વેષરૂપ અધ્યવસાન એ જીવનો સ્વભાવ નથી. તેને જેમ માટીથી સોનું જાદુ પાડે તેમ ભિન્ન કરીને રાગદ્વેષરહિત આત્માનો અનુભવ જ્ઞાની સ્વયં કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org