________________
પસાર
૪૨ -
શ્રી સમયસાર તજવાથી હું જ્ઞાનદર્શનમય છું; સ્પર્શરસાદિ પુગલના ગુણોને જાણવા છતાં સ્પર્શરસાદિપણે પરિણમતો નથી તેથી સદા અરૂપી છું એ રીતે મારું પ્રગટ ભિન્ન સ્વરૂપ અનુભવતો હું દીપું છું, એવા દેદીપ્યમાનને વિશ્વમાં વિરાજતી વિચિત્ર પદાર્થોની સંપદા જોવા જાણવા છતાં, કંઈ અન્ય પરમાણુ માત્ર પણ મારું આત્માપણે ભાસતું નથી. જેથી આત્મા ભાવકભાવ અને શેયભાવ સાથે એકરૂપ થઈને ફરીથી મોહને ઉપજાવે છે, તેથી તેમ ફરી મોહ ઉત્પન્ન ન થવા માટે આત્માના સ્વરસથી જ મોહને મૂળ સહિત ઉખેડી નાખતાં, મહાન કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય છે.
વસંતતિલકા . मजन्तु निर्भरममी सममेव 'लोका - आलोकमुच्छलति शांतरसे समस्ताः ।। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मन एष भग़वानवबोधसिंधु: ॥३२॥ મિથ્યાત્વમોહ અને ચારિત્રમોહરૂપ બ્રાંતિનો પડદો સર્વથા દૂર કરીને આ ભગવાન જ્ઞાનસિંધુ પ્રગટ થયો છે. તેના લોકાન્ત સુધી ઊછળતા શાંતરસમાં હે લોકો, તમે એક સાથે અત્યંતપણે મગ્ન થાઓ !
અથવા તો નાટકના અન્ય જે શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણ, વીર, ભયાનક, બીભત્સ અને અભુત એ આઠ રસ છે, તેમાં જીવઅજીવનો ભેદ ન જાણનાર મિથ્યાવૃષ્ટિ મગ્ન રહે છે. તેને શાંતરસમાં સ્થિર રહેનાર સમ્યવ્રુષ્ટિ કહે છે કે શેયથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરીને તમે પણ શાંતરસમાં મગ્ન થાઓ ! (કલશ ૩૨),
| ઇતિ પૂર્વરંગ અથવા જીવઅધિકાર સમાપ્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org