________________
૧. જીવાજીવ અધિકાર
-
૩૯
ઉત્તરમાં પ્રથમ ભાવકભાવ સંબંધી વિવેકના પ્રકારને કહે છે - णस्थि मम कोवि मोहो बुझदि उवओग एव अहमिक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया विंति ॥३६॥ મોહ ન મારો કોઈ છે, હું ઉપયોગી એક;” એ મોહનિર્મમતા, લહે સમય-ઉર-વિવેક. ૩૬
આ લોકમાં ફળ આપવાને તત્પર થયેલ મોહ-મિથ્યાત્વ અને ઉપલક્ષણથી રાગદ્વેષ, કષાય નોકષાય, કર્મ નોકર્મ, મનવચનકાય અને પાંચ ઇન્દ્રિય આદિ સર્વ ભાવકભાવો પુલદ્રવ્યથી બનેલા છે અને ટંકોત્કીર્ણ એક જ્ઞાનસ્વભાવવાળા આત્માને જડભાવરૂપે કરવાને અશક્ત છે, તેથી મોહ મારો કોઈ સંબંધી નથી. જ્ઞાનરૂપી પ્રકાશવડે વિશ્વને જાણવામાં ચતુર અને સદા પ્રગટ પ્રતાપરૂપ સંપદાવાળી ચૈતન્ય શક્તિરૂપ સ્વભાવભાવથી ભગવાન આત્મા જ ઓળખાય છે. તેનાથી ભિન્ન મોદાદિ આત્મા સાથે એકક્ષેત્રે રહેવા છતાં તેમાં ચૈતન્ય ગુણનો અભાવ છે. તેથી જેમ શિખંડનો મિશ્ર સ્વાદ છતાં દહીં અને ખાંડ સ્વાદભેદથી ભિન્ન સમજાય છે, તેમ મોહાદિ સર્વ ભાવકભાવોને લક્ષણભેદથી ભિન્ન જાણીને તે પ્રત્યેથી મમતા-મારાપણાના ભાવને હું ત્યાગું છું. એ રીતે આત્મા સદા એકત્વમાં જ પરિણમે છે, કારણ કે સમય એટલે મૂળદ્રવ્યની એમ જ સ્થિતિ છે. માટે મોહાદિ મારા નથી એમ ભાવકભાવનો વિવેક થાય છે.
સ્વાગતા सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम् । नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्घममहोनिधिरस्मि ॥३०॥
આત્માના સર્વે પ્રદેશે જ્ઞાનરૂપ સ્વરસથી ભરપૂર એવા એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org