________________
૩૮.
શ્રી સમયસાર
જેમ જાણી, “પદ્રવ્ય આ', કરે પુરુષ કો ત્યાગ; તેમ જાણી સહુ ભાવ પર, સુજ્ઞ કરે પરિત્યાગ. ૩૫
જેમ કોઈ માણસ ધોબીને ત્યાંથી આવેલી બીજાની ચાદર અજાણતાં પોતાની માની, ઓઢીને સૂતો છે. તેને બીજો માણસ આવી કહે છે, “ઊઠ ઊઠ! આ ચાદર તારી નથી.” એમ વારંવાર સાંભળતાં પેલો માણસ જાગીને બરાબર તપાસે છે અને જેવો તે જાણે છે કે ચાદર બીજાની છે, તે સાથે જ તેને છોડી દે છે. અર્થાત્ વસ્તુ પોતાની નથી એમ જાણવા સાથે જ ત્યાગભાવ પણ પ્રગટે છે.
તેમ જ્ઞાતા-આત્મા પણ પારકા ભાવોને પોતાના માનતો અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતો છે. તેને ગુરુ જગાડે છે કે જાગ ! જાગ ! આ આત્મા પરભાવથી ભિન્ન એકલો-જુદો છે. એમ અનેક વખતે વચનોને સાંભળતો, અનેક ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, નિશ્ચય આ બધા પરભાવ છે એમ જાણીને જ્ઞાની થતાં સર્વ પરભાવોને શીધ્ર ત્યાગે છે. એ રીતે પરભાવોને પર જાણી ત્યાગે ત્યારે શુદ્ધ આત્માનુભૂતિને અનુભવે.
માલિની अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ॥२९॥ .
એ પરભાવત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ અત્યંત વેગથી જાની ન થાય ત્યાં તો શીધ્ર સર્વ અન્ય ભાવથી મુક્ત આ સ્વયં આત્માનુભૂતિ પ્રગટ થઈ !
(કલશ ર૯) ' અનુભૂતિમાં પરભાવનો વિવેક કેવી રીતે થાય છે? તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org