________________
૩૬
શાર્દૂલવિક્રીડિત एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयानुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेनावस्तीर्थकर स्तवोत्तर बलादे कत्वमात्मांगयोः ॥२७॥
શ્રી સમયસાર
શરીર અને આત્માની એકતા વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી. વ્યવહારથી શરીરસ્તવનથી તીર્થંકરસ્તુતિ મનાય છે, પરંતુ નિશ્ચયથી તો ઉપર કહી તેમ આત્માના ગુણની સ્તુતિ કરવી એ જ વાસ્તવિક જિનની સ્તુતિ છે. તેથી અજ્ઞાનીએ કરેલા તીર્થંકર સ્તવન સંબંધી પ્રશ્નના ઉત્તરના બળથી આત્મા અને શરીરની એકતા નથી એ સિદ્ધ થાય છે. (કલશ ૨૭)
માલિની
इति परिचिततत्त्वैरात्मकायै कतायां
नयविभजनयुक्त्याऽत्यंतमुच्छादितायाम् । अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसर भसकृष्ट : प्रस्फुटन्नेक एव ॥ २८ ॥
એ રીતે તત્ત્વ એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય જેમને છે એવા જ્ઞાનીદ્વા૨ા નયવિભાગની યુક્તિવડે આત્મા અને શરીરની એકતાનો અત્યંત નિષેધ કરાતાં ભેદજ્ઞાનરૂપ યથાર્થ બોધ કોને ન થાય ? અવશ્ય આત્મા પોતાના એક જ્ઞાનરૂપ નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થાય છે. (કલશ ૨૮)
તત્ત્વજ્ઞાની ગુરુનો ઉપદેશ-બોધ સાંભળે, અંતરમાં ઉતારે કે તરત જ આત્માનો પ્રતિબોધ પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થાય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે દેહ તે જ આત્મા એવી શંકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org