________________
૧. જીવાજીવ અધિકાર
૩૫
તેથી વિભાવરૂપ પરિણમનાર આત્મા તે ભાવ્ય છે. તે વિભાવથી પાછો વાળીને આત્માને જ્ઞાનસ્વભાવમાં સ્થિર કરે અને મોહાદિ ભાવકને બળપૂર્વક હઠાવે. એ રીતે સર્વ ભાવ્યભાવક-સંકર દોષ દૂર કરવા વડે એત્વમાં ટંકોત્કીર્ણ અને વિશ્વમાં સર્વોત્કૃષ્ટ, સદા પ્રગટ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત્તારૂપ અને દિવ્ય એવા જ્ઞાનસ્વભાવ વડે અધિક હોવાથી સર્વ પરદ્રવ્યથી વાસ્તવિક ભિન્ન ઓળખાતા ભગવાન આત્માને જે અનુભવે છે તે ખરે ! જિતમોહ જિન છે. એ બીજી નિશ્ચયસ્તુતિ છે.
તે ભાવ્યભાવક ભાવનો અભાવ કરવારૂપે ત્રીજી નિશ્ચયસ્તુતિ કહે છે - जिदमोहस्स दुजइया खीणो मोहो हविज्ज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहि ॥३३॥ જિતમોહીનો મોહ એ, થાય સર્વથા ક્ષીણ; ત્યારે “ક્ષીણમોહી' કહે, નિશ્ચયવાદ-પ્રવીણ. ૩૩
ઉપર કહ્યું તેમ જિતમોહ મુનિ મોહાદિને હઠાવીને, અંશે પ્રગટ થતા જ્ઞાનસ્વભાવરૂપ આત્માનો અનુભવ કરતા આત્મસ્વભાવની ભાવના ભાવે છે; તેથી રાયમાન થતા વીર્યબળના અવલંબનથી મોહકર્મની સર્વ સંતતિનો ફરી ઉદય ન થાય એ રીતે સત્તામાંથી અત્યંત વિનાશ કરવાવડે, જ્યારે મોહરૂપ ભાવકનો સર્વથા ક્ષય કરીને તેમજ રાગદ્વેષ, કષાય-નોકષાય અને કર્મ-નોકર્મની એકતાનો સર્વથા ક્ષય કરીને ક્ષીણમોહ થાય છે, ત્યારે તે જ મુનિ ભાવ્યભાવક ભાવના અભાવથી એકત્વમાં ડંકોત્કીર્ણ, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા ક્ષીણમોહ જિન કહેવાય છે. એ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org