________________
૧. જીવાજીવ અધિકાર
૩૩ એમ વ્યવહારથી તીર્થકરના દેહ, સમવસરણ આદિની સ્તુતિ કરાય છે. તેથી ઉલ્લાસભાવ થતાં તેમના ગુણો પ્રત્યે પણ ઉલ્લાસ આવે અને ભક્તિથી ભાવ સ્થિર થતાં પોતાના આત્માનો અનુભવ થાય. એમ વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે, તે કયારે? કે દેહાદિમાં અટકી ન રહે તો. તેથી વ્યવહારથી દેહાદિની સ્તુતિ કરાય છે તે નિષ્ફળ નથી.
હવે ત્રણ ગાથામાં નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં શેયજ્ઞાયકસંકર દોષને દૂર કરવારૂપે પ્રથમ સ્તુતિ કહે છે -
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू ॥३१॥ જ્ઞાનગુણાધિક આત્માને જાણે ઇન્દ્રિયજિતું; કહે જિતેન્દ્રિય તેહને સાધુ નિશ્ચયવિ૮ ૩૧,
સ્પર્શ રસ આદિ ઈન્દ્રિયના વિષયો તે જોય છે અને દ્રવ્યેન્દ્રિય તથા ભાવેન્દ્રિય તે શેયને જણાવનાર જ્ઞાયક છે. તે બન્ને આત્માના શુદ્ધસ્વરૂપથી ભિન્ન છતાં અભિન્ન મનાય તે શેયજ્ઞાયકસંકર દોષ છે. તે શેયજ્ઞાયકસંકર દોષ ટાળીને જે જ્ઞાનસ્વભાવથી લક્ષિત એવા ભિન્ન આત્માનો અનુભવ કરે છે તે જિતેન્દ્રિય જિન છે. તે આ પ્રકારે –
અનાદિથી મર્યાદારહિત ચાલ્યા આવતા કર્મબંધને કારણે આત્માની પર સાથે એકતા કરાવનાર, શરીરરૂપે પરિણમેલી દ્રવ્યેન્દ્રિયને નિર્મળ ભેદજ્ઞાનના અભ્યાસથી અનુભવાતા, અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનદ્વારા ભિન્ન જાણે; પોતપોતાના વિષયને જાણવામાં પ્રવર્તતી કર્મના ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિય જ્ઞાનને ખંડખંડ દર્શાવે છે, તેને પ્રતીતિમાં આવતા અખંડ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org