SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર વ્યવહારથી શરીરના સ્તવનથી તીર્થંકરનું સ્તવન કર્યું એમ મનાય છે, જેમ કે સોનું રૂપું ભેગાં કર્યાં હોય, તો આ સોનું સફેદ છે એમ વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી તો રૂપું સફેદ છે ને સોનું પીળું જ છે, તેવી રીતે નિશ્ચયથી શરીરના સ્તવનથી તીર્થંકરના આત્મગુણનું સ્તવન થતું નથી. કેવલીના ગુણોનું સ્તવન કરવાથી જ કેવલીની નિશ્ચયસ્તુતિ થાય છે. ૩૨ તે વિષે સદૃષ્ટાંત કહે છે કે જેમ નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી તેમ તીર્થંકરના શરીરનું વર્ણન કરવાથી તીર્થંકરના આત્માનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન-... આર્યા प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलम् । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ॥२५॥ કિલ્લાઓથી જાણે આકાશનો કોળિયો કર્યો હોય અને ઉપવનની પંક્તિઓથી જાણે ભૂમિને ગળી ગયું હોય, એવું આ નગર ચારેબાજુ આવેલી ઊંડી ખાઈથી જાણે પાતાળને પીએ છે ! (કલશ ૨૫) જિનેન્દ્રરૂપનું વર્ણનઃ આર્યા नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यम् । अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥ २६ ॥ ', નિત્ય, અવિકાર અને સર્વાંગે સુસ્થિત અપૂર્વ સહજ લાવણ્યવાળું અને ક્ષોભરહિત સમુદ્ર હોય તેવું જિનેન્દ્રનું રૂપ પરમ જયવંત વર્તે છે. (કલશ ૨૬) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy