________________
૧. જીવાજીવ અધિકાર
અજ્ઞાનથી મોહિતમતિ, બહુ વિભાવયુત જીવ; પુદ્ગલ બદ્ધ-અબદ્ધને, કહે ‘મારાં' દૈવ. ૨૩ જીવ સદા ઉપયોગમય, સર્વજ્ઞજ્ઞાને દીઠ; પુદ્ગલમય શે થાય કે, “પુદ્ગલ મારાં” ઇષ્ટ ? ૨૪ જીવ પુદ્ગલમય બને, જડમાં થાય જીવત્વ; તો કહે પુદ્ગલ દ્રવ્યને, ‘આ મારાં' એ શક્ય. ૨૫
૨૯
પ્રતિસમય ઉદયમાં આવતા અનંત કર્મના સંયોગથી થતા વિભાવભાવોના અનુભવથી, લાલવસ્તુના સંસર્ગથી થયેલા લાલસ્ફટિક સમાન, આત્માના મૂળ ગુણોને ભૂલીને મોહથી તે વિભાવોને જ જે આત્મા માને છે અને પરદ્રવ્યને “મારાં' કહે છે એવા અપ્રતિબુદ્ધને જાગૃત કરવા ઠપકો આપે છે : હે દુરાત્મા ! આત્મઘાતી ! તૃણ સહિત મોદક ખાનારા અવિવેકી હાથીની જેમ એવો મિશ્ર અનુભવ કરવો તું છોડ. ભગવાને નિર્મળ જ્ઞાનથી આત્માને નિત્ય ઉપયોગ લક્ષણવાળો સ્પષ્ટપણે કહ્યો છે તે પુદ્ગલમય શી રીતે થયો ? કે જેથી તું આ પુદ્ગલ મારાં છ એમ કહે છે ! મીઠાનું પાણી અને પાણીનું મીઠું થાય છે, તેમ આત્મા પુદ્ગલ બને અને પુદ્ગલ આત્મા બને તો પુદ્ગલ મારાં છે એમ કહી શકાય. પરંતુ તેમ આત્મા કોઈ કાળે પુદ્ગલ નથી થતો કે પુદ્ગલ આત્મા સાથે એકરૂપ થતું નથી. જેમ અંધકારથી પ્રકાશ ભિન્ન છે, તેમ ઉપયોગરૂપ આત્મા અનુપયોગી જડથી સદા ભિન્ન જ છે. તેથી પ્રસન્ન થા અને સ્વયં આત્મદ્રવ્યને જાણીને ‘આ મારું છે'' એમ અનુભવ કર.
માલિની : અયિ થપિ મૃત્લા તત્ત્વૌતુહી સન્ अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्त्तम् ।
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org