________________
શ્રી સમયસાર
પરદ્રવ્યરૂપ નથી અને પરદ્રવ્ય તે આત્મા નથી, વળી મારાં પરદ્રવ્ય નથી અને પરદ્રવ્યનો હું નથી, ભૂતકાળમાં આત્મા ને પરદ્રવ્ય ભિન્ન હતાં અને ભાવિમાં ભિન્ન જ રહેશે, ત્રણે કાળ આત્મા તે આત્મા અને પરદ્રવ્ય તે પરદ્રવ્ય છે એમ સત્ય સમજણ કરનાર પ્રતિબુદ્ઘ તરીકે ઓળખાય છે.
૨૮
એ રીતે જગતના સર્વ જીવો મોહનિદ્રામાંથી જાગે અને આત્મજ્ઞાનનો અનુભવ કરે એવી ભાવના દર્શાવે છે :
માલિની
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ॥ २२ ॥
અનાદિ સંસાર કાળથી જેમાં લીનતા કરી છે, એવા મોહને જગત હવે તો તજે અને આત્માના રસિયા મહાત્માઓને જે પ્રિય છે એવા શુદ્ધ આત્મજ્ઞાનનો સ્વાદ લે ! કારણ કે આ જગતમાં આત્મા કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે અનાત્મદ્રવ્ય સાથે તાદાત્મ્યપણે એકરૂપ થઈ શકતો નથી. (કલશ ૨૨)
અપ્રતિબુદ્ધને જાગૃત કરવા પ્રયત્ન કરે છે :
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पुग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥ २३ ॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पुग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥२४॥ जदि सो पुग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तोसत्तो वत्तुं जे मज्झमिणं पुग्गलं दव्वं ॥२५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org