________________
ર૬
શ્રી સમયસાર
જેવી રીતે ઘડાના સ્પર્શરસગંધવર્ણાદિ રૂપ ભાવમાં અને વચ્ચે પહોળો, ગોળાકાર વગેરે આકારમાં આ ઘડો છે, અને ઘડામાં સ્પર્શરસાદિ ભાવ અને વચ્ચે પહોળો, ગોળાકાર વગેરે આકાર છે, એમ વસ્તુ ને તેના ગુણોની અભેદતારૂપ અનુભૂતિ છે; તેવી રીતે અંતરંગ મોહાદિ કર્મ અને બહિરંગ દેહાદિ નોકર્મરૂપ પગલપરિણામોમાં હું છું અને તે કર્મ-નોકર્મ આત્મામાં છે, એમ જ્યાં સુધી અભેદતારૂપ અનુભૂતિ છે, ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે. પરંતુ દર્પણમાં અગ્નિની વાળા દેખાય છે ત્યાં જેમ સ્વપરને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા દર્પણની છે અને ઉષ્ણતા ને જવાળા અગ્નિની છે, તેવી રીતે જ્યારે કોઈ વખતે ભેદજ્ઞાનથી જણાશે કે અરૂપી આત્મા તો પરને ને પોતાને જાણવારૂપ જ્ઞાનમાત્ર છે, અને કર્મ-કર્મ પુદ્ગલનાં છે ત્યારે તે પ્રતિબદ્ધ થશે.
' માલિની कथमपि हि लभंते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा ।
Mकुरवदविकाराः संततं स्युस्त एव ॥२१॥ કોઈ પણ પ્રકારે જેઓ ખરેખર પોતાથી કે પરના ઉપદેશથી ભેદવિજ્ઞાનનું મૂળ એવા અચલિત અનુભવને મેળવે છે તેઓ, પ્રતિબિંબિત થયા છે અનંત પદાર્થોના સ્વભાવ જેમાં એવા, દર્પણ સમાન અવિકાર હંમેશાં રહે છે. અર્થાત દર્પણમાં પદાર્થો પ્રતિબિંબિત થવા છતાં દર્પણને જેમ ભાર કે ઉષ્ણતા આદિ વિકાર થતો નથી, તેમ આત્મા શેયને જોવા જાણવા છતાં રાગાદિ રહિત અવિકાર રહે છે ! (કલશ ૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org