SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदिं पुणो अत्थत्थीओ पयत्तेण ॥ १७ ॥ एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्वो । अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ રાજા' જાણી કોઈ નર, જેમ કરે શ્રદ્ધાન; ધન-અર્થી સેવા વિષે, ધરે પછી પ્રણિધાન. ૧૭ જીવરાજને જાણવો, તથા શ્રદ્ધવો તેમ; આચરવો સ્થિરતા કરી, મોક્ષાર્થીએ એમ. ૧૮ ૨૪ જેમ કોઈ ધનાર્થી રાજાને જાણે છે, ને તેને સેવવાથી ધન મળશે એવી શ્રદ્ધા ખાતરી થાય પછી તેની સેવા કરે છે, તેવી રીતે મુમુક્ષુએ અનેક ભાવોમાંથી, પરમ વિવેકરૂપી કુશળતાવડે, આ આત્મપરિણતિ છે એમ જીવરૂપ રાજાને જાણવો, પછી તે યથાર્થ જ છે અને તેને સેવવાથી મોક્ષ થશે એવી શ્રદ્ધા ખાતરી કરવી અને પછી તે સ્વરૂપપરિણતિમાં સ્થિર રહેવારૂપે તે જીવરાજાની સેવા કરવી. એ જ રીતે સાધ્ય એવા મોક્ષની સિદ્ધિ છે, બીજી રીતે નહીં. જો કે બાલગોપાલ સર્વેને ‘હું છું હું છું” એમ અહંપ્રત્યયી જ્ઞાન હોય છે, પરંતુ તે મોહરહિત અન્ય દ્રવ્યથી ભિન્નપણે આ મારી આત્માનુભૂતિ છે એ પ્રકારે હોતું નથી. તેથી અંતરમાં અનુભવાતા મિશ્ર ભાવોમાંથી ૫૨મ વિવેકજ્ઞાન વડે મોહને હઠાવીને, આત્માને ભિન્ન ન જાણે ત્યાં સુધી આત્માની સાચી શ્રદ્ધા પણ થતી નથી; કારણ કે ગધેડાના શીંગડાનો જેમ અભાવ છે તેમ જ્ઞાન વિના શ્રદ્ધાનો અભાવ છે અને સમસ્ત પદાર્થોથી ભિન્ન એવા આત્માના જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં આત્મપરિણતિમાં સ્થિરતા કરવારૂપ ચારિત્ર પણ પ્રગટ થઈ શકતું નથી. તેથી જ્ઞાનદર્શનચારિત્રથી જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નહીં. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy