________________
૧. જીવાજીવ અધિકાર
૨૩
અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयं । मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥
આત્મા પોતે એક છતાં દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમે છે. એમ પ્રમાણદૃષ્ટિથી દ્રવ્યપર્યાયને સાથે જોતાં આત્મા એક સાથે અમેચક (ભેદ રહિત) છે અને મેચક (ભદવાળો) પણ છે. મેચક એટલે પચરંગી-ભેદવાળો.
(કલશ ૧૬) અનુરુપ दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्त्वतः । एकोऽपि त्रिस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७॥ परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः ।
सर्वभावांतरध्वंसि स्वभावत्वादमेचकः ॥१८॥ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમતો આત્મા, એક છતાં ત્રણ સ્વભાવવાળો હોવાથી વ્યવહારથી મેચક છે; નિશ્ચયથી તો પ્રગટ જ્ઞાયક જ્યોતિરૂપ સર્વ પરભાવથી મુક્ત એક સ્વભાવવાળો હોવાથી અમેચક છે.
(કલશ ૧૭-૧૮) અનુરુપ आत्मनश्चिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ॥१९॥ આત્મા વિષે મેચક અમેચકની ચિંતા ન કરો; કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નથી.
(કલશ ૧૯) એ જ વાતને બે ગાથામાં દૃષ્ટાંતદ્વારા કહે છે --
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org