________________
૧. જીવાજીવ અધિકાર
૨૧
જે અબદ્ધપૃષ્ટાદિમય, દેખે આતમ શુદ્ધ; તે જિનશાસન જાણતા, દ્રવ્ય ભાવ અવિરુદ્ધ. ૧૫ ' ઉપર કહ્યા મુજબ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માનો જે અનુભવ છે તે સંપૂર્ણ શબ્દાત્મક દ્રવ્યશ્રુત અને તદનુસાર જે જ્ઞાન અથવા અનુભવ થાય તે રૂપ ભાવશ્રુત-એમ દ્રવ્ય અને ભાવથી અવિરોધપણે સંપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા જિનશાસનનો અનુભવ છે. એમ આત્માનું શુદ્ધ સ્વરૂપ સામાન્ય (દ્રવ્ય)ના આવિર્ભાવ અને વિશેષ (પર્યાય)ના તિરોભાવરૂપે અનુભવમાં આવે છે; પરંતુ અજ્ઞાની અને આસક્ત જીવોને તેનો લક્ષ થતો નથી. તે આ રીતે --
જે શાક વગેરેમાં લુબ્ધ છે, તે મીઠાવાળી જુદી જુદી વાનીઓમાં ભિન્ન ભિન્ન વિશેષ સ્વાદને અનુભવે છે. પરંતુ તે દરેકમાં મીઠાનો સ્વાદ સામાન્ય છે, તે તેને જાદો અનુભવમાં આવતો નથી, પરંતુ જે લુબ્ધ નથી તેને મીઠાનો સામાન્ય સ્વાદ ખ્યાલમાં આવે છે. તેમ જે શેયમાં લુબ્ધ છે, તેને આત્માની કર્મસંયોગસહિત વિશેષ અવસ્થાનો જ અનુભવ થાય છે અને જે શેયમાં લુબ્ધ નથી થતા, તેમને તે અશુદ્ધ કર્મસહિત અવસ્થામાં પણ આત્માનું સ્વરૂપ શુદ્ધજ્ઞાનઘન આત્મા અનુભવમાં આવે છે.
પૃથ્વી अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि - महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ॥१४॥ જે અખંડિત છે, અનાકુળ છે, અનંત છે, અંતરંગમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org