________________
શ્રી સમયસાર
ઉપજાતિ आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यंतविमुक्तमेकम् । विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति ॥१०॥
આત્માનો સહજ સ્વભાવ છે તે સર્વ પરભાવથી ભિન્ન છે અને પોતાના ગુણોથી ભરપૂર છે, અનાદિ અનંત મુક્ત છે, એક અદ્વૈત સર્વ સંકલ્પવિકલ્પની પરંપરાથી રહિત છે; એવા આત્મસ્વભાવને પ્રકાશક શુદ્ધ નિશ્ચયનય ઉદય થાય છે.
(કલશ ૧૦) શુદ્ધ નિશ્ચયનય આત્માને કેવો જાએ છે? તે કહે છે - जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं । अविसेसमजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અનુબદ્ધસ્કૃષ્ટાન્ય ને નિયત, અવિશેષ અસંયુક્ત; દેખે જે નય આત્મને, તે નય શુદ્ધ પ્રયુક્ત. ૧૪
જે નય આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત અનુભવે છે તે શુદ્ધ નિશ્ચયનય છે. વ્યવહારનયથી જોતાં આત્મામાં બદ્ધપ્રુષ્ટાદિ ભાવો દેખાય છે, પરંતુ નિશ્ચયનયથી જોતાં આત્મામાં તે ભાવો દેખાતા નથી. તે આ પ્રકારે –
આર્યા અબદ્ધસ્પષ્ટ અનન્ય, નિયત અવિશેષ અસંયુક્ત; જળકમળ મૃત્તિકા, સમુદ્ર સુવર્ણ ઉદક-ઉષ્ણ.”
જેમ પાણીમાં રહેલું કમળ વાસ્તવિક રીતે પાણીથી બંધાયેલું કે સ્પર્શાવેલું નથી, તેમ આત્મા દ્રવ્યકર્મ નોકર્મમાં એકમેકપણે એકત્ર રહેવા છતાં વાસ્તવિક રીતે કર્મ અને દેહાદિથી બંધાયેલો કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org