SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર માલિની उदयति न नय श्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम् । किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मिननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ ९ ॥ આત્માના સર્વવ્યાપી પ્રકાશમાં નયોની શોભા પ્રગટ થતી નથી, પ્રમાણ અસ્ત પામે છે અને નિક્ષેપચક્ર કોણ જાણે ક્યાંય જતું રહે છે. વધારે શું કહીએ ? આત્માનો અનુભવ થતાં સર્વ વિકલ્પો વિલય પામે છે, તેથી આત્મા સિવાય બીજું, દ્વૈતરૂપ કંઈ ભાસતું નથી. (કલશ ૯) ૧૭ અહીં કોઈ વિજ્ઞાન અદ્વૈતવાદી-વેદાંતી કહે કે એ રીતે પરમાર્થથી તો અદ્વૈતનો જ અનુભવ થયો અને અમારો મત પણ એ જ છે, તો પછી તમે વિશેષ શું કહો છો ? તેનો ઉત્તર આપે છે, કે તમારા મતમાં સર્વેથા અદ્વૈત માને છે. એમ સર્વથા માનતાં બાહ્યવસ્તુનો અભાવ જ થઈ જાય અને તે તો પ્રત્યક્ષ વિરોધ છે. જૈનમાં નયવિવક્ષા છે, તે બાહ્યવસ્તુનો લોપ કરતી નથી. શુદ્ધાત્માના અનુભવથી વિકલ્પ મટી જાય છે. તેવો અનુભવ કરાવવા માટે શુદ્ઘનયનું કથન છે. જો બાહ્યવસ્તુ (પ્રમેય)નો લોપ કરવામાં આવે તો આત્મા (પ્રમાતા)નો પણ લોપ થાય અને તેથી શૂન્યતાનો દોષ આવે, એમ એકાંતવાદથી વસ્તુસ્વરૂપની સિદ્ધિ બની શકતી નથી અને વસ્તુસ્વરૂપની યથાર્થ સિદ્ધિ વિના શુદ્ધ અનુભવ ક૨વામાં આવે તો તે પણ મિથ્યા અનુભવ ઠરે છે. એ રીતે સ્યાદ્વાદ પૂર્વક શુદ્ઘનય ઉદય થવાનો છે તે સૂચવવા કાવ્ય કહે છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy