________________
- ૧૫
૧. જીવાજીવ અધિકાર પરિણામને અચેતનરૂપ સર્વથા ભિન્ન જાએ છે. તેથી નિશ્ચયનયથી વિચારતાં આ નવે તત્ત્વમાં અજીવથી ભિન્ન સદા અમ્મલિત એક જીવદ્રવ્યનો જ લક્ષ કરાય છે. શુદ્ધ નિશ્ચયનય દ્રવ્યના શુદ્ધ પર્યાયનો જ લક્ષ કરે છે, તેથી શુદ્ધનયથી વિચારતાં સર્વ અવસ્થામાં માત્ર એક શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત આત્માનો અંતરમાં અનુભવ કરાય છે. એ રીતે જે શુદ્ધાત્માનો અનુભવ છે, તે જ આત્મજ્ઞાન છે; અને આત્મજ્ઞાને છે તે જ સમ્યગ્દર્શન છે. અનુભવમાં ત્રણે અભિન્ન છે. તેથી નિશ્ચયનયથી નવતત્ત્વને જાણતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અથવા ભૂતાર્થગત એટલે વ્યવહાર અને નિશ્ચયનયથી સ્યાદ્વાદ રીતે નિર્ણય કરીને યથાર્થ અનુભવપૂર્વક આ નવતત્ત્વને જાણતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
એમ નવતત્ત્વનો નિર્દેશ કરીને આત્મહત્ત્વનો લક્ષ કરાવતાં જીવ અધિકારની શરૂઆત કરવા કલશ કહે છે. જીવ અધિકાર ૧૪ થી ૩૮ ગાથા સુધી છે. ત્યારપછી અજીવ અધિકાર ૩૯ થી ૬૮ ગાથા સુધી છે. ઉપરની પીઠિકા તથા સૂચિ સહિત બન્ને અધિકાર મળીને જીવાજીવ અધિકાર બનેલો છે.
માલિની चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥८॥ જુદી જુદી વાનીના સોનાના મણકાની માળામાં દરેકમાં શુદ્ધ સોનાનો લક્ષ કરાય છે, તેમ આ નવે તત્ત્વમાં ઘણા કાળથી ગુપ્ત રહેલું જે આત્મતત્ત્વ તે નિશ્ચયના અવલંબનથી ઉપર મુજબ જુદું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org