________________
૧. જીવાજીવ અધિકાર
૧૩ અવલંબન યોગ્ય છે પણ તે ખેદની વાત છે, કારણ કે પરભાવથી રહિત ચૈતન્યચમત્કારરૂપ પરમ પદાર્થને અંતરમાં અનુભવ કરનારાને તે વ્યવહારનય જરા પણ અવલંબન યોગ્ય નથી. (કલશ ૫).
આ પ્રમાણે પ્રથમની ૧૨ ગાથા આ સમયસાર ગ્રંથની પીઠિકા અથવા પ્રસ્તાવના રૂપ છે. અને ૧૩ મી ગાથામાં ગ્રંથની વિષયસૂચી આપી છે, તેના વિસ્તારરૂપે બાકીનો ગ્રંથ છે. જે સંક્ષેપરુચિ જીવ હશે તે તો માત્ર પીઠિકા વાંચીને જ આત્માના અનુભવરૂપ સ્વલક્ષને પામી જશે અને જે વિસ્તારરુચિ જીવ હશે તે સંપૂર્ણ ગ્રંથનું મનન કરીને પછી તે લક્ષને પામી શકશે. પ્રથમ નવતત્ત્વ વિષે કલશ કહે છે
આ શાર્દૂલવિક્રીડિત एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसंततिमिमामात्मायमेकोस्तु नः ॥६॥
શુદ્ધનયથી એકત્વમાં રહેલા અને પોતાના જ ગુણ પર્યાયોમાં વ્યાપેલા એવા પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપ આત્માનો જે અનુભવ છે, તે સમ્યગ્દર્શન છે અને તે જ આત્મા છે; માટે નિશ્ચયનયથી નવતત્ત્વના વિસ્તારને મૂકીને એક આ ભિન્ન અનુભવાતો આત્મા જ અમને હો.
(કલશ ૬) અનુરુપ अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत् । नवतत्त्वगतत्त्वेपि यदेकत्वं न मुंचति ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org