________________
શ્રી સમયસાર
જરૂરનો છે. તીર્થ એટલે વ્યવહારધર્મના ભિન્ન ભિન્ન ઉપાય અને તીર્થફલ એટલે તત્ત્વ અથવા સ્વરૂપપ્રાપ્તિ. એ બે માટે બન્ને નયની જરૂર છે. તેથી કહ્યું છે કે
૧૨
जई जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जन तित्थं अण्णेण उण तच्चं ।।
જો જિનમતને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચયમાંથી એકેયને ન મૂકો; કારણ કે વ્યવહાર વિના તીર્થનો લોપ થાય છે અને નિશ્ચય વિના તીર્થફલનો લોપ થાય છે. માલિની
उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षत एव
જિનવચન બન્ને નયના વિરોધને મટાડનાર સ્યાત્પદથી અંકિત છે. તે સ્યાદ્વાદયુકત જિનવચનમાં જે રમે છે, તેઓ શીઘ્ર દર્શનમોહનો નાશ કરીને અન્ય મતોથી ખંડિત ન થઈ શકે એવા ૫૨મજ્યોતિરૂપ સનાતન સમયસારને અવશ્ય જાએ છે. (કલશ ૪)
માલિની
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलंब: तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमंतः पश्यतां नैष किंचित् ॥५ ॥
વ્યવહારનય નીચેનાં પગથિયા પર પગ મૂકનારા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org