________________
૧. જીવાજીવ અધિકાર
જ્ઞાતારૂપ જ છે.
તો પછી એકલો પરમાર્થ એટલે નિશ્ચયનય જ કહેવો જોઈએ? તેના ઉત્તરમાં દૃષ્ટાંતપૂર્વક વ્યવહારની આવશ્યકતા સમજાવે છે. जह णवि सक्रमणज्जो अणज्जभासं विणा उ गाहेडं 1 तह ववहारेण विणा परमत्थुवएसणमसकं ॥८ ॥ મ્લેચ્છ મ્લેચ્છભાષા વિના, સમજે નહિ ભાવાર્થ; તેમ વિના વ્યવહાર જન, સમજે નહિ પરમાર્થ. ૮
ki
જેમ એક બ્રાહ્મણે કોઈ મ્લેચ્છને “સ્વસ્તિ’' કહીને આશીર્વાદ આપ્યો, ત્યારે તે શબ્દનો અર્થ ન સમજવાથી તે મ્લેચ્છ મેંઢાની જેમ ટગર ટગર જોઈ રહ્યો. પછી તે બ્રાહ્મણે મ્લેચ્છભાષામાં સ્વસ્તિનો અર્થ “ અમર રહો, કલ્યાણ હો” ઇત્યાદિ હોવાનું સમજાવ્યું, ત્યારે તે મ્લેચ્છની આંખમાં હર્ષનાં ઝળઝળિયાં આવ્યા, કારણ કે ‘સ્વસ્તિ’ શબ્દનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યો. તેવી રીતે ‘આત્મા’ એટલું કહેવાથી જગતજનો ભાવાર્થ કંઈ સમજી શકે નહિ ને મેંઢાની જેમ ટગર ટગર જોયા કરે; પણ જ્યારે વ્યવહાર અને પરમાર્થ, માર્ગ દ્વારા સમ્યગ્ બોધને ધારણ કરનારા ધર્મધુરંધર આચાર્ય વ્યવહારના અવલંબનથી સમજાવે કે દર્શનજ્ઞાનચારિત્રમાં પ્રવર્તે તે આત્મા...ઇત્યાદિ, ત્યારે ભવ્ય જીવોને અંતરમાં આનંદ ઊભરાય છે. કારણ આત્મા સંબંધી સુંદર ભાવાર્થ તેમના લક્ષમાં આવે છે. એ રીતે પરમાર્થ સમજવા અર્થે વ્યવહારનો પ્રથમ દશામાં ઉપયોગ કરવા યોગ્ય છે. પરંતુ જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવાનું નથી તેમ વ્યવહારને ધ્યેયરૂપે અનુસરવાનો નથી.
એમ વ્યવહારને પરમાર્થનું પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે દૃષ્ટાંતથી કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org