________________
શ્રી સમયસાર
દુર્નિવાર એવા કષાયચક્રના ઉદયથી પ્રવર્તતા પુણ્યપાપજનક શુભાશુભભાવરૂપે સ્વભાવથી પરિણમતો નથી. તેથી પ્રમત્ત (૧ થી ૬ ગુણસ્થાનક) નથી, તેમજ અપ્રમત્ત (૭ થી ૧૪ ગુણસ્થનક) કહેવાયોગ્ય પણ નથી. એ રીતે શુદ્ધનયથી સર્વ અવસ્થામાં સર્વ પદ્રવ્યથી ભિન્નપણે વિચારતાં તે એક શુદ્ધ જ્ઞાતારૂપ જ છે. . . જેમ તૃણ, કાષ્ઠ આદિ બંધનને બાળતાં અને સુવર્ણના સિક્કાને તપાવતાં તે તે આકારે થવા છતાં એ દાહ્ય અને નિષ્કમાં રહેલા અગ્રિમાં ભેદ પડતો નથી તેમ પરને જાણતાં જ્ઞાન જોયાકારે થાય છે, છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પડતો નથી. અર્થાત્ પરને આધારે તેનું જ્ઞાતાપણું નથી, કારણ કે સ્વરૂપ પ્રકાશન અવસ્થામાં દીપકની સમાન પ્રકાશકપ્રકાશ્યની અભિન્નતા છે ત્યાં કર્તાકર્મનું અનન્યપણું હોવાથી આત્માનું જ્ઞાયકપણું સ્વભાવસિદ્ધ જ છે.
દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદરૂપ અશુદ્ધતા આત્મામાં છે? ઉત્તર -
ववहारेणुवदिस्सइ णाणिस्स चरित्तं दंसणं णाणं । णवि जाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥७॥ આત્માને વ્યવહારથી, દર્શન જ્ઞાન ચારિત્ર; નિશ્ચયથી નહિ ભેદ એ, જ્ઞાયક માત્ર પવિત્ર. ૭
કર્મબંધ સંબંધી અશુદ્ધભાવ આત્મામાં નથી એટલું જ નહિ, પરંતુ દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદો પણ શુદ્ધ આત્મામાં નથી. અભેદ વસ્તુને સમજાવવા માટે તેને વ્યક્ત કરનારા અમુક ધર્મો દ્વારા વ્યવહારથી ભેદ પાડીને આચાર્ય અનિષ્ણાત શિષ્યને સમજાવે છે. પરંતુ નિશ્ચયથી તો અનંત ગુણપર્યાયથી યુક્ત મિશ્ર સ્વાદરૂપે અનુભવાતો આત્મા, સર્વ પ્રકારના ભેદથી રહિત એક અખંડ શુદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org