SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण । जदि दाएज पमाणं चुक्किज्ज छलं ण घेत्तव्वं ॥५॥ કહું એકત્વવિભક્ત એ, આગમાદિ અનુકૂળ; યથાર્થ તે નિર્ધારજો, ગ્રહણ મ કરજો ભૂલ. પ આત્મા શુદ્ધ સ્વરૂપમાં પરિણમે એવું એકત્વ અતિ દુર્લભ છે. માટે તે વિષે જ હું કહીશ, અહીં કર્તા પોતાની યોગ્યતા વિષે નિર્દેશ કરે છે; કે સર્વજ્ઞની વાણીની ઉપાસનાથી, સમસ્ત કુતર્કોને દૂર કરનાર પ્રબળ ન્યાયશક્તિના અવલંબનથી, આત્માનુભવી પરંપરા જ્ઞાની ગુરુના ઉપદેશથી અને નિરંતર વર્તતા સુંદર સ્વાનુભવથી જન્મ પામેલ જે કંઈ મારા આત્માનો પ્રભાવ, તેની સર્વ શક્તિપૂર્વક, પરભાવથી ભિન્ન શુદ્ધ આત્માને હું દર્શાવીશ. એ કાર્યની પ્રતિજ્ઞા કરું છું. જો હું યથાર્થ દર્શાવું તો સુજ્ઞજને પોતાના સ્વાનુભવથી કસીને પ્રમાણ કરવું; પરંતુ તે દર્શાવવામાં મારી કંઈ ભૂલ થાય તો તે દોષશોધક દુર્જનવત્ ગ્રહણ ન કરવી એમ કાર્યની મહત્તા અને પોતાની લઘુતા જણાવી. તે શુદ્ધ આત્મા કેવો છે ? તે કહે છે णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो । एवं भांति सुद्धा णाओ जो सो उ सो चेव ॥६॥ ન પ્રમત્ત, અપ્રમત્ત ના, જે આ જ્ઞાયકભાવ; શુદ્ધનયે તે શુદ્ધ છે, શાતા એક સ્વભાવ. ૬ 2 જે આ સ્વતઃસિદ્ધ અનાદિ અનંત નિત્ય પ્રગટ નિર્મળ જ્યોતિરૂપ એક જ્ઞાયકભાવ છે, તે સંસારઅવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાએ દૂધપાણીની સમાન કર્મપુદ્ગલની સાથે એકત્ર રહેવા છતાં, દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ શુદ્ધનયથી જોતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy