SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર એમ ન હોય તો એક બીજામાં ભળી જવારૂપ સર્વસંકર-દોષનો પ્રસંગ આવે. આ પ્રમાણે બધાં દ્રવ્યો એકત્વમાં પ્રતિષ્ઠિત છે, ત્યાં જીવ નામના સમયની બંધકથા કરવી તેમાં વિસંવાદ એટલે વિરોધ આવે છે. તો પછી તે બંધકથાનું મૂળ જે પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિત થવાપણું અને તેનું મૂળ, પરસમયથી ઊપજતું જે આત્માનું દૈવિધ્ય તે તો કેમ જ યોગ્ય હોય ? તેથી આત્માનું એકત્વ જ યથાર્થ છે. પરંતુ તે એકત્વગત આત્માની કથા સુલભ નથી. सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४ ॥ શ્રુત પરિચિત અનુભૂત છે, કામભોગબંધ-વાત; કિંતુ ભિન્ન એકત્વની, કથા અલભ્ય, વિખ્યાત. ૪ મહા મોહરૂપ યોદ્ધાથી સમસ્ત સંસારી જીવો પરાધીન થઈને, તૃષ્ણાની અતિશયતાથી મૃગતૃષ્ણા જેવા વિષયસમૂહને ગ્રહણ કરતા અને તે જ વિષયો સંબંધી પરસ્પર ઉપદેશ કરતા હોવાથી બંધનું કારણ એવી કામભોગની કથા તો સર્વત્ર સુલભ છે. સર્વને તે સંબંધી અનંતવાર શ્રવણ, પરિચય ને અનુભવ થયેલ છે. પરંતુ નિર્મલ વિવેકરૂપ પ્રકાશથી પ્રગટ થતું આત્માનું એકત્વ, જે હંમેશાં અંતરમાં પ્રગટ છતાં કષાયચક્રમાં એકમેક થઈ જવાથી અત્યંત આચ્છાદિત થઈ રહેલ છે- કારણ કે પોતાને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનીનો સંગ કરતો નથી તે સંબંધી પૂર્વે કદાપિ શ્રવણ, પરિચય અને અનુભવ થયેલ નથી, તેથી તે એકત્વની કથા સુલભ નથી, અર્થાત્ અલભ્ય અને મહત્વની છે. તેને જ દર્શાવવા કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy