________________
શ્રી સમયસાર અનાદિ અનંત એવું જે શ્રુતજ્ઞાન તેને પ્રકાશક, તથા શ્રુતકેવલીઓએ ઉપદેશદ્વારા આગમમાં કહ્યું છે તદનુસાર હોવાથી પ્રમાણ કરવાયોગ્ય, તેમજ અહંતુ પ્રવચનના અવયવરૂપ જે પ્રસિદ્ધ એવો આ શ્રી સમયસાર ગ્રંથ તેને સ્વપરના અનાદિ મોહને નાશ કરવા માટે કહું છું. એમ શ્રી કુંદકુંદ આચાર્ય મંગલપૂર્વક આત્માના અનુભવરૂપ ભાવવાચા અને શબ્દરૂપ દ્રવ્યવાચાથી ગ્રંથનું વ્યાખ્યાન શરૂ કરે છે.
સમય તે શું? તેના ઉત્તરમાં કહે છે - जीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण । पुग्गलकम्मपदेसट्टियं च तं जाण परसमयं ॥२॥ દર્શનજ્ઞાનચરિત્ર - સ્થિત, જીવ સ્વસમય વખાણ; પુદ્ગલકર્મપ્રદેશ - સ્થિત, તે પરસમય જ જાણ. ૨ - સમય એટલે આત્મા-જીવ. તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં પરિણમે ત્યારે સ્વસમય અને પુદ્ગલ કર્મોદયમાં એકમેક થઈને પરિણમે ત્યારે પરસમય તરીકે ઓળખાય છે, એમ જાણો. તે આત્મા સદા (૧) ઉત્પાદવ્યયધુવયુક્ત પોતાના પરિણામાત્મક સ્વભાવમાં રહેલો હોવાથી સત્તાસહિત છે, (૨) ચૈતન્યસ્વરૂપ હોવાથી પ્રગટ જ્ઞાનદર્શનરૂપ નિર્મળ જ્યોતિવાળો છે, (૩) અનંત ધર્મોથી યુક્ત એકધર્મી હોવાથી પ્રગટ દ્રવ્ય છે, (૪) સહવર્તી તે ગુણ અને ક્રમવર્તી તે પર્યાય તે બન્ને સ્વભાવવાળો હોવાથી ગુણપર્યાયાત્મક છે, (૫) સર્વ પદાર્થોને જાણતાં તે આકારે વિશ્વરૂપ થવા છતાં તે એકરૂપ છે, (૬) આકાશદ્રવ્ય અવગાહનામાં સહકાર કરે છે, ધર્મદ્રવ્ય ગતિમાં સહકાર કરે છે, અધર્મદ્રવ્ય સ્થિતિમાં સહકાર કરે છે, કાળદ્રવ્ય વર્તનામાં સહકાર કરે છે અને પુદ્ગલદ્રવ્ય રૂપી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org